યસ બેંકે તેની તાજી ઓળખના ભાગરૂપે એક વાઇબ્રન્ટ નવો લોગો લોન્ચ કર્યો
એક સંકલિત 360-ડિગ્રી અભિયાન- લાઇફ કો બાનાઓ રિચ- સાથે તેની નવી તાજી બ્રાન્ડ ઓળખનું અનાવરણ કરે છે- જે ગ્રાહકોને ભરપૂર રીતે જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે છે.
મુંબઈ : યસ બેંકે આજે તેની નવી તાજી બ્રાન્ડ ઓળખનું અનાવરણ કર્યું, જે બદલાતા સમયને અનુરૂપ દેખીતું પરિવર્તન છે. બેંકની ગતિશીલ નવી ઓળખ ગ્રાહકોની વધતી જતી જરૂરિયાતો અને આકાંક્ષાઓ સાથે તાલ મિલાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે અને તે માત્ર જરૂરીયાતોને પૂરી કરવાનું જ નહિ પરંતુ તેનાથી આગળ વધવાના અને લોકો માટે દરેક દિવસ ભરપૂર રીતે જીવવાનું શક્ય બનાવવાના તેના ઉદ્દેશ્યને પ્રતિબિંબિત કરે છે. આ તાજી સફર આજની યસ બેંકના મૂલ્યોનો પડઘો પાડે છે જે ગ્રાહકોની નાણાકીય જરૂરિયાતોની કાળજી લઇને તેમની પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેમને સક્ષમ કરવાની બેંકની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
તેની પરિષ્કૃત ઓળખના ભાગરૂપે, યસ બેંકે એક વાઇબ્રન્ટ નવો લોગો લોન્ચ કર્યો છે જે બેંકના દ્રશ્યમાન ડીએનએને આગળ ધપાવે કરે છે અને તેના પર નિર્માણ કરે છે. ડિઝાઇનની ભાષા ડિજિટલ મૈત્રીપૂર્ણ છે અને તે એવી બ્રાન્ડને પ્રતિબિંબિત કરે છે જે પ્રવાહિત હોવામાં વિશ્વાસ રાખે છે. તે તેના મૂળ મૂલ્યો પ્રત્યે વફાદાર રહીને બેંકની પ્રગતિશીલ ભાવનાને દર્શાવે છે. ટિકને એક ઉડતા પક્ષીમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે, જે બેંકની વર્તમાન ઉડવાની સ્થિતિને દર્શાવે છે. તદુપરાંત, જૂની ઓળખની કોણીય ધારોના બદલે સુંવાળા બનેલા ખૂણાઓ અને તરલ આકારોએ સ્થાન લીધું છે, તેની સાથે વધુ ભારપૂર્વકની ટાઇપોગ્રાફી પણ છે. યસ બેંકના લોગો સાથે સંકળાયેલા પરિચિત વાદળી અને લાલ રંગોને પણ નવી સજાવટ મળી છે; લાલ અને વાદળી રંગમાં ઇલેક્ટ્રિક ટોન હોય છે, જે ભરપૂર ઊર્જા અને નવીનતાનું પ્રતિનિધિત્વ કરે છે જે આજની યસ બેંક માટે છે.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.