“એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” થીમ પર જીટીયુ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
શારીરિક અને માનસિક રીતે સ્વસ્થતા કેળવવા માટે યોગ એક સર્વશ્રેષ્ઠ ઉપચાર છે. સમગ્ર વિશ્વ દ્વારા યોગાભ્યાસને સ્વિકારવામાં આવેલ છે -પ્રો. ડૉ. પંકજરાય પટેલ
દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા યોગમય વિશ્વનું સેવેલ સ્વપ્ન ખરા અર્થમાં ચરીતાર્થ થયેલું જોવા મળી રહ્યું છે, સમગ્ર વિશ્વમાં 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાય છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU ) દ્વારા પણ આ વર્ષે “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” થીમ પર યોગ દિવસની ઉજવણી જીટીયુ ચાંદખેડા ખાતે કરાઈ હતી.
આ પ્રસંગે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે, શારીરિક અને માનસિક રીતે સ્વસ્થતા કેળવવા માટે યોગ એક સર્વશ્રેષ્ઠ ઉપચાર છે. સમગ્ર વિશ્વ દ્વારા યોગાભ્યાસને સ્વિકારવામાં આવેલ છે. જીટીયુના બીઓજી મેમ્બર શ્રી અભિમન્યુ સમ્રાટ, જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર વિવિધ પીજી સ્કૂલના ડાયરેક્ટર્સ , જીટીયુના કર્મચારીઓ તથા ચાંદખેડા , મોટેરા અને જીટીયુ નિ:શુલ્ક યોગ કેન્દ્રના 600થી વધુ યોગભ્યાસુઓએ ભાગ લિધો હતો.
યોગ દિવસની ઉજવણી પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ,પતંજલી , કેચ ફાઉન્ડેશન સહિત 8 સામાજીક સંસ્થાઓ જીટીયુ સાથે જોડાઈને બહોળી સંખ્યામાં યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતાં. વિશેષ ઉજવણી સ્વરૂપે જીટીયુ દ્વારા G-20 અંતર્ગત 100થી વધુ સંલગ્ન સંસ્થામાં 7 દિવસીય યોગ તાલીમ શિબિરનું આયોજન કર્યું હતું.
આ ઉપરાંત યોગ સંવાદ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલ રાજપૂત જીટીયુ ખાતે ઉપસ્થિત રહીને યોગ સંવાદ કર્યો હતો. શિક્ષણ વિભાગ આયોજીત સામૂહિક સૂર્ય નમસ્કારનું પણ જીટીયુ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત જીટીયુ ખાતે પણ 2 દિવસીય યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલી યોગ સમિતિના તજજ્ઞો દ્વારા ભાગ લેનાર તમામને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યોગ દિવસની સફળ ઉજવણી અને સૂચારૂ આયોજન બદલ જીટીયુના કુલપતિ અને કુલસચિવે સ્પોર્ટ્સ ઓફિસર ડૉ આકાશ ગોહિલ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.
વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) મહાજન સંકલન ટાસ્કફોસ દ્વારા તેના સંલગ્ન સભ્ય સંગઠનો સાથે મળીને તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં LICની મોટી જાહેરાત! ડેથ સર્ટિફિકેટ વગર ઝડપી ક્લેમ પતાવટ. 265 મોતમાં પીડિતોના પરિવારોને રાહત. વધુ જાણો!
ઉમેદવારો યાદીમાં કોઈપણ પ્રકારનો વાંધો તા. ૧૬ જૂનના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂ કરી શકશે.