જશોદામાની મૂર્તિ બનાવવાની પરંપરા જાળવતા વિરાણી મોટી પાટીદારના યુવાનો
જન્માષ્ટમી એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુનો આઠમો કૃષ્ણ તરીકેનો અવતાર જે આખાય ભારત સહિત વિશ્વના ખૂણે ખૂણે વસતા સનાતન સમાજના લોકો ભક્તિભાવ પૂર્વક આનંદ ઉલ્હાસ પૂર્વક ઉજવતા હોય છે.
જન્માષ્ટમી એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુનો આઠમો કૃષ્ણ તરીકેનો અવતાર જે આખાય ભારત સહિત વિશ્વના ખૂણે ખૂણે વસતા સનાતન સમાજ ના લોકો ભક્તિભાવ પૂર્વક આનંદ ઉલ્હાસ પૂર્વક ઉજવતા હોય છે. નંદ ઘેર આનંદ ભયોના નાદ થી વાતાવરણ ગુંજી ઉઠતું હોય છે સાતમ આઠમના કચ્છમાં માતા જશોદાની માટીની મૂર્તિ બનાવવાની પરંપરા વર્ષો જુની છે. પાટીદાર, આહિર, રબારી જ્ઞાતિ દ્વારા આ પરંપરા હજુ પણ જળવાઈ રહી છે ખાસ કરીને પાટીદાર સમાજની મોટી વસ્તી ધરાવતા ગામોના લોકો જે ધંધાર્થે બહાર વસતા હોય છે પરંતુ સાતમ આઠમ નિમિત્તે અવશ્ય માદરે વતન આવી ઉત્સવ ઉજવતા હોય છે ત્યારે સમાન્ય રીતે ખાલી ખમ ભાસતા ગામડા સાતમ આઠમના તહેવારોમાં પુનઃ ધમધમી ઊઠે છે.
મોટી વિરાણી ગામે પણ પાટીદારોની સંખ્યા મોટી સંખ્યામાં હોઈ સાતમ આઠમની સહિતનાં તહેવારો ગામમાં રોનક દેખાઈ આવે છે. મોટી વિરાણી ગામે પણ વર્ષો જુની મા જશોદા બનાવવાની પરંપરા હજુ પણ જળવાઈ રહી છે છેલ્લા કેટલાય વર્ષોથી ગામનાં પાટીદાર યુવક મંડળના સદસ્યો રમણીક ભાઈ સોમજીયાણી, પ્રભુદાસ ભાઈ નાકરાણી, કાંતિભાઈ વાડિયા, વિરેનભાઈ પોકાર, નિલેશભાઈ નાકરાણી,
કલ્પેશભાઈ નાકરાણી દ્વારા મા જશોદાની માટી ની મૂર્તિ સ્વ. હસ્તે તૈયાર કરી શણગારવામાં આવતી હોય છે. હાલના ઝડપી યુગમાં લોકોમાં સમયનો અભાવ જોવા મળે છે ઘણી બધી પરંપરા લુપ્ત થતી જાય છે ત્યારે પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી પરંપરા જાળવતા યુવાનો ખરે ખર અભિનંદનને પાત્ર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 માર્ચ, 2026 ના રોજ ગુજરાતના સાણંદ ખાતે કેઈન્સ સેમિકોન (Kaynes Semicon) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્લાન્ટ ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ભારતની ભાગીદારી વધારવા માટેનું એક સીમાચિહ્નરૂપ પગલું છે. સાણંદમાં નિર્મિત ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યુલ્સ (IPMs) હવે સિલિકોન વેલીની દિગ્ગજ કંપનીઓને નિકાસ કરવામાં આવશે. પીએમ મોદીએ આ પ્રસંગે 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0' અને 'ટેકેડ' પર ભાર મૂકતા જણાવ્યું કે ભારત હવે સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઈનના દરેક સ્તરે ડિઝાઇન અને ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવી રહ્યું છે, જે આગામી દાયકાઓમાં વૈશ્વિક નેતૃત્વ સુનિશ્ચિત કરશે.
ગુજરાત સરકારે પોરબંદરના પ્રવાસન અર્થતંત્રને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે પોરબંદરની પ્રતિષ્ઠિત હોટલોમાં લાઇસન્સ પ્રાપ્ત દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારની આ પહેલથી પોરબંદરમાં હાઈ-એન્ડ ટુરીસ્ટ્સની સંખ્યા વધવાની અને પ્રવાસન ઉદ્યોગમાં નવીનતા આવવાની અપેક્ષા છે.
રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026 માં 'આપ' 7% વધુ મત મેળવશે તો ભાજપ-કોંગ્રેસના સમીકરણો બદલાશે. જાણો ગત ચૂંટણીના ચોંકાવનારા આંકડા અને વિશ્લેષણ.