અમિત શાહે અંડમાનમાં રૂ. 373 કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ, 'વીર સાવરકર'ને કર્યા યાદ!
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અંડમાન અને નિકોબારમાં રૂ. 373 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. તેમણે સેલ્યુલર જેલની મુલાકાત લઈ સ્વાતંત્ર્ય સેનાનીઓને અંજલિ આપી.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ હાલ અંડમાન અને નિકોબાર દ્વીપસમૂહની ત્રણ દિવસીય મુલાકાતે છે. શનિવારે તેમણે શ્રી વિજયા પુરમ (પોર્ટ બ્લેર) ખાતે રૂ. 373 કરોડના ખર્ચે તૈયાર થયેલી ૯ વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું અને ૨ મહત્વના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અંડમાન અને નિકોબાર હવે ભારતના વિકાસનું એક મહત્વનું કેન્દ્ર બની ગયું છે. આ રોકાણથી દ્વીપસમૂહના આધુનિકીકરણ અને જનસુવિધામાં મોટો વધારો થશે.
અમિત શાહે જે યોજનાઓનું લોકાર્પણ કર્યું તેમાં રૂ. ૨૨૯ કરોડના ખર્ચે બનેલા 'ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર'નો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, આ સેન્ટર ભારતની મુખ્ય ભૂમિના વિકસિત રાજ્યો જેવી જ અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડશે. આ ઉપરાંત, આરોગ્ય ક્ષેત્રે ICU અને ક્રિટિકલ કેર યુનિટ્સ તેમજ પીએમ ગ્રામ સડક યોજના (PMGSY) હેઠળ ગ્રામીણ રસ્તાઓના નિર્માણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ્સથી ટાપુઓ પર પ્રવાસન અને કનેક્ટિવિટીને વેગ મળશે.
પોતાના સંબોધન દરમિયાન અમિત શાહ ભાવુક થયા હતા અને ભારતની આઝાદીના સંગ્રામમાં અંડમાનના ફાળાને યાદ કર્યો હતો. તેમણે કહ્યું, "સેલ્યુલર જેલમાં બનેલું વીર સાવરકરનું સ્મારક આજે સમગ્ર વિશ્વને હજારો શહીદોના બલિદાનની ગાથા કહી રહ્યું છે. અહીં અનેક ક્રાંતિકારીઓએ અત્યાચારો સહન કર્યા અને ભારતની આઝાદીના પાયા મજબૂત કર્યા." તેમણે ૩૦ ડિસેમ્બર, ૧૯૪૧ ના રોજ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વારા અહીં પ્રથમવાર તિરંગો લહેરાવવાની ઐતિહાસિક ક્ષણને પણ યાદ કરી હતી.
મુલાકાતના ભાગરૂપે અમિત શાહે ગૃહ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા, સાયબર ક્રાઈમ સામેની વ્યૂહરચના અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બેઠકમાં ન્યાયિક પ્રણાલીને આધુનિક બનાવવા માટે 'નવીન ન્યાય સંહિતા' (નવા ફોજદારી કાયદા) પરના પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લેફ્ટનન્ટ ગવર્નર એડમિરલ ડીકે જોશીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રીની આ મુલાકાત દર્શાવે છે કે સરકાર અંડમાન અને નિકોબારને માત્ર એક પ્રવાસન સ્થળ તરીકે નહીં, પરંતુ ભારતની સાર્વભૌમત્વ અને આર્થિક શક્તિના કેન્દ્ર તરીકે જોઈ રહી છે. ગ્રેડ નિકોબાર પ્રોજેક્ટ અને સ્કુબા ડાઇવિંગ જેવા પ્રવાસન સાહસો દ્વારા આ વિસ્તારને વૈશ્વિક નકશા પર લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ૨૦૨૬ માં અમિત શાહની આ બીજી મુલાકાત છે, જે અર્થતંત્ર અને સુરક્ષા બંને દૃષ્ટિએ આ દ્વીપસમૂહના વધતા મહત્વને રેખાંકિત કરે છે.
વડાપ્રધાન મોદીએ ખેડૂતોના હિત, કનેક્ટિવિટી અને ઔદ્યોગિક વિકાસ માટે કેબિનેટના નિર્ણયોની પ્રશંસા કરી છે. જાણો કપાસના MSP, BHAVYA યોજના અને હાઈવે પ્રોજેક્ટની સંપૂર્ણ વિગત.
CJI સૂર્યકાંતે રોહિણીમાં ફેમિલી કોર્ટ સંકુલનો શિલાન્યાસ કર્યો. તેમણે વકીલોને કાળા કોટ અને પોલીસને યુનિફોર્મ વગર રહેવા સૂચન કર્યું જેથી બાળકો ડરે નહીં.