અરવલ્લી માં પ્રજાપતિ સમાજનું ભવ્ય શક્તિ પ્રદર્શન
અરવલ્લી જિલ્લાના મોડાસામાં પ્રજાપતિ સમાજની ચિંતન બેઠક યોજાઈ. 'હું છું અરવલ્લી પ્રજાપતિ સમાજ' ના નારા સાથે શિક્ષણ ભવન બનાવવાનો નિર્ણય.
અરવલ્લી (Arvalli) જિલ્લાના મોડાસા (Modasa) ખાતે 11 પરગણા પ્રજાપતિ સમાજ દ્વારા એકતા, અસ્મિતા અને પ્રગતિ માટે 'ચિંતન બેઠક' નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના આધુનિક 'સમાજ ભવન' અને 'શિક્ષણ ભવન' ના નિર્માણનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાની કે.એન. હાઈસ્કૂલ ખાતે 20 January 2026 ના રોજ પ્રજાપતિ (કુંભાર) સમાજની એક ઐતિહાસિક ચિંતન બેઠક યોજાઈ હતી. 11 ગોળ પરગણાના પ્રમુખો, મહામંત્રીઓ અને જિલ્લા કારોબારીની ટીમ સહિત મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મસાલ પ્રજ્વલિત કરીને કરવામાં આવી હતી, જે સમાજની જાગૃતિનું પ્રતીક બની હતી.
આ પ્રસંગે 'સેવા, સંગઠન અને સમર્પણ' ના મંત્ર સાથે "હું છું અરવલ્લી પ્રજાપતિ સમાજ" લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. બેઠકમાં નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું અને પૂર્વ હોદ્દેદારોની સેવાઓને બિરદાવવામાં આવી હતી. સમગ્ર હોલ "હું છું અરવલ્લી પ્રજાપતિ સમાજ" ના નારાથી ગુંજી ઉઠ્યો હતો.
આ ચિંતન બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય મોડાસા જેવા શૈક્ષણિક હબમાં સમાજનું પોતાનું જિલ્લા કક્ષાનું ભવન બનાવવાનો છે.
ઉચ્ચ શિક્ષણ: સમાજના દીકરા-દીકરીઓ મોડાસામાં રહીને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે છાત્રાલયની સુવિધા.
આર્થિક બચત: વિવિધ ગોળમાં વહેંચાયેલા સમૂહ લગ્નો હવે એક જ સ્થળે યોજાય તેવા પ્રયત્નો કરવામાં આવશે.
સામાજિક ક્રાંતિ: અલગ-અલગ ગોળ વચ્ચે રોટી-બેટી વ્યવહાર વધે અને જ્ઞાતિવાદના અંતરાયો દૂર થાય તે દિશામાં મંથન કરવામાં આવ્યું હતું.
નવનિયુક્ત હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, જો સમગ્ર જિલ્લાનો પ્રજાપતિ સમાજ એક થશે, તો શિક્ષણ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ આવશે. સમૂહ લગ્નોત્સવના ખર્ચમાં બચત કરીને તે રકમનો ઉપયોગ ગરીબ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે કરવામાં આવશે. આ બેઠક અરવલ્લી જિલ્લાના પ્રજાપતિ સમાજ માટે આવનારા દાયકાની નવી દિશા નક્કી કરનારી સાબિત થશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.