વડોદરામાં કેજરીવાલની ગર્જના: "ભાજપ ગુજરાતના યુવાનોનું ભવિષ્ય અને ખેડૂતોના પૈસા ખાઈ ગઈ, 2027માં પરિવર્તન નક્કી!"
વડોદરા માં આમ આદમી પાર્ટી નું બૂથ સંમેલન. અરવિંદ કેજરીવાલ એ ગુજરાત માં પરિવર્તન અને શિક્ષણ-આરોગ્ય મુદ્દે ભાજપને ઘેરી.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ વડોદરાની મુલાકાત દરમિયાન બૂથ કાર્યકર્તા સંમેલનને સંબોધન કરતા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. 19 જાન્યુઆરી, 2026 ના રોજ યોજાયેલા આ સંમેલનમાં કેજરીવાલે સ્પષ્ટ કર્યું હતું કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની જનતા ભાજપના 30 વર્ષના અહંકારને તોડીને પરિવર્તન લાવશે.
આ સંમેલનમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય ચૈતર વસાવા, અને ગોપાલ ઇટાલિયા સહિતના દિગ્ગજ નેતાઓ અને હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, "ભાજપે જાણીજોઈને સરકારી શાળાઓ અને હોસ્પિટલો તોડી નાખી છે જેથી તેમના નેતાઓની પ્રાઈવેટ સંસ્થાઓ ચાલી શકે. યુવાનો નોકરી માંગે છે ત્યારે તેમના હાથમાં દારૂ અને ડ્રગ્સ પકડાવી દેવામાં આવે છે." તેમણે હરણી તળાવ દુર્ઘટનાનો ઉલ્લેખ કરી પીડિત પરિવારોને ન્યાય અપાવવાને બદલે તેમને ડરાવવા બદલ પોલીસ અને તંત્રની ટીકા કરી હતી.
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ આદિવાસી વિસ્તારોના વિકાસ માટે આવતા કરોડો રૂપિયાના ફંડના દુરુપયોગ અંગે સવાલો ઉઠાવ્યા હતા. કેજરીવાલે ઉમેર્યું કે આદિવાસીઓના કલ્યાણ માટેના 50 કરોડ રૂપિયા સમોસા, ટેન્ટ અને બસો પાછળ ખર્ચી નાખવામાં આવ્યા, જેમાંથી ઘણી શાળાઓ બની શકી હોત.
ગુજરાત પ્રભારી ગોપાલ રાય એ કાર્યકરોને હવે 'ડોર-ટુ-ડોર' અભિયાન તેજ કરવા આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે ભાજપને તેના સંગઠન પર જે ઘમંડ છે, તેને આમ આદમી પાર્ટીનું બૂથ સ્તરનું મજબૂત માળખું તોડી નાખશે. ઇસુદાન ગઢવીએ પણ કાર્યકરોને જેલ અને ખોટા કેસોથી ન ડરવા અને જનતાના હકની લડાઈ ચાલુ રાખવા આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.