આર્યન ખાનની 'ધ બેડ્સ ઓફ બોલિવુડ'માં કોપ રોલ': શું આશિષ કુમાર વાનખેડે વિવાદથી પરેશાન?
આર્યન ખાનની વેબ સિરીઝ 'ધ બૅડ્સ ઑફ બૉલીવુડ'માં નાર્કોટિક્સ કૉપનો રોલ કરનાર એક્ટર આશિષ કુમારે વિવાદ વચ્ચે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે તેઓ કોઈની નકલ કરવા માંગતા નથી અને માત્ર તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની બહુચર્ચિત વેબ સિરીઝ 'ધ બૅડ્સ ઑફ બૉલીવુડ' એક તરફ સોશિયલ મીડિયા પર વખણાઈ રહી છે, તો બીજી તરફ તે ગંભીર વિવાદોમાં પણ સપડાઈ છે. પૂર્વ એન.સી.બી. ડાયરેક્ટર સમીર વાનખેડેએ સિરીઝના મેકર્સ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે, તેમનો આરોપ છે કે સિરીઝમાં તેમની છબી ખરાબ રીતે રજૂ કરવામાં આવી છે. આ વિવાદ વચ્ચે, સિરીઝમાં નાર્કોટિક્સ કૉપનો રોલ ભજવનાર અભિનેતા આશિષ કુમારનું રિએક્શન સામે આવ્યું છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને આ વિવાદમાં પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી છે, અને દર્શકોને જણાવ્યું છે કે તેમણે માત્ર પોતાના પાત્ર પર ધ્યાન આપ્યું છે.
આશિષ કુમારએ 'ધ બૅડ્સ ઑફ બૉલીવુડ'માં નાર્કોટિક્સ કૉપનું પાત્ર ભજવ્યું છે. તેમના અભિનય માટે તેમને ફેન્સ તરફથી જબરદસ્ત પ્રશંસા મળી રહી છે. જોકે, કેટલાક લોકોએ આ પાત્રને વિવાદાસ્પદ ગણાવીને તેમનો વિરોધ પણ કર્યો હતો.
પ્રશંસા અને ટીકા બંનેનો સામનો કરી રહેલા આશિષ કુમારએ પોતાના વીડિયોમાં ખુલાસો કર્યો કે તેમને લોકો તરફથી જાતજાતની પ્રતિક્રિયાઓ મળી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "જે લોકો કહી રહ્યા છે કે મારું પાત્ર કોઈ વ્યક્તિ જેવું દેખાય છે, મારે તેમાં પડવું નથી. મેં માત્ર એક સામાન્ય પોલીસ ઓફિસરનો રોલ કર્યો છે, જેમ મને કહેવામાં આવ્યું હતું."
એક્ટરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમને 'કોઈપણ પ્રકારની ઘટિયા પબ્લિસિટી પસંદ નથી'. તેમણે કોઈપણનું નામ લીધા વિના કહ્યું કે, "મારા માટે તે હંમેશા એક સાધારણ પોલીસ ઓફિસર જ રહેશે. હું મારી પોતાની ઓળખ બનાવવા માંગુ છું, કોઈના નામથી નહીં." આશિષ કુમારે અંતે તેમના પાત્રને પસંદ કરનારા તમામ ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આર્યન ખાનની સિરીઝમાં કૉપના પાત્રને જે રીતે રજૂ કરવામાં આવ્યો છે, તેના કારણે વિવાદ ઊભો થયો છે. જોકે, સિરીઝમાં આ કૉપનું નામ ક્યાંય જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ તેના હાવભાવ અને ડાયલોગ્સને કારણે ઘણા લોકોને લાગ્યું કે આ પાત્ર ભૂતપૂર્વ એન.સી.બી. ડાયરેક્ટર સમીર વાનખેડેની પેરોડી છે.
ખાસ કરીને કૉપ દ્વારા લગાવવામાં આવેલા 'સત્યમેવ જયતે' અને 'વૉર અગેન્સ્ટ ડ્રગ્સ' જેવા નારાઓને વાનખેડેની છબી સાથે જોડીને જોવામાં આવ્યા.
આ જ કારણોસર સમીર વાનખેડેએ સિરીઝના મેકર્સ અને નેટફ્લિક્સ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે વળતર તરીકે ૨ કરોડ રૂપિયાના હરજાનાની પણ માંગણી કરી હતી, જે તેઓ કેન્સર હોસ્પિટલમાં દાન કરવાના હતા. આ વિવાદમાં આશિષ કુમારનું નિવેદન સ્પષ્ટ સંકેત આપે છે કે તેઓ માત્ર એક એક્ટર તરીકે પોતાનું કામ કરવા માગે છે અને વિવાદોથી દૂર રહેવા માંગે છે.
Salman Khan And Abhinav Kashyap: મુંબઈ કોર્ટે અભિનવ કશ્યપને અભિનેતા અને પરિવાર વિરુદ્ધ માનહાનિકારક ટિપ્પણીઓ પોસ્ટ/શેર કરવા પર અસ્થાયી પ્રતિબંધ મૂક્યો. 30 જાન્યુઆરી 2026ની સુનાવણીમાં ન્યાયાધીશ પીજી ભોસલેએ આદેશ આપ્યો. સલમાને ₹9 કરોડ વળતરની માંગ કરી છે. "દબંગ" ડિરેક્ટરના આરોપો પર કોર્ટે કહ્યું – વાણી સ્વાતંત્ર્ય અપમાનનો અધિકાર નથી આપતું. લેટેસ્ટ અપડેટ અને કેસની વિગતો અહીં વાંચો.
મુંબઈના જુહુ માં અક્ષય કુમાર ના સુરક્ષા કાફલાનો અકસ્માત. ટ્વિંકલ ખન્ના સાથે એરપોર્ટથી પરત ફરતી વખતે બની ઘટના.
'આજ કી રાત' એ 1 બિલિયન વ્યૂઝ પાર કર્યા. તમન્ના ભાટિયાને 1 કરોડ ફી મળી, નોરા ફતેહી કરતાં 4 ગણી. સ્ત્રી 2નો મોટો રેકોર્ડ અને વિગતો વાંચો