જાણો: જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ગુંજ્યા ઓગસ્ટ કોમ્ટના વિચારો, 'સમાજશાસ્ત્રના પિતા'ની જન્મજયંતીની ભવ્ય ઉજવણી
BKNMU જૂનાગઢમાં ઓગસ્ટ કોમ્ટ ની જન્મજયંતી પર વ્યાખ્યાન. પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણ અને તજજ્ઞોએ સમાજશાસ્ત્રના સિદ્ધાંતો સમજાવ્યા.
જૂનાગઢ સ્થિત ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (Bhakta Kavi Narasinh Mehta University) ના સમાજશાસ્ત્ર અને સમાજકાર્ય વિભાગ દ્વારા 'સમાજશાસ્ત્રના પિતા' તરીકે ઓળખાતા ફ્રેન્ચ વિચારક ઓગસ્ટ કોમ્ટ (Auguste Comte) ની જન્મજયંતી નિમિત્તે તજજ્ઞ વ્યાખ્યાન અને પઠન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 19 જાન્યુઆરી, 2026 ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ કોમ્ટની સમાજશાસ્ત્રીય સિદ્ધિઓ અને વર્તમાન સમયમાં તેની પ્રસ્તુતતા પર ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવા અને સામાજિક ચિંતનનો વ્યાપ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સમાજશાસ્ત્ર ભવનના વડા પ્રો. જયસિંહ બી. ઝાલા એ ઓગસ્ટ કોમ્ટના પ્રદાન વિશે વાત કરતા જણાવ્યું કે, કોમ્ટે વિજ્ઞાનોના કોટિક્રમમાં સમાજશાસ્ત્રને ટોચ પર રાખ્યું હતું. તેમણે સામાજિક પ્રગતિ માટે 'ત્રણ તબક્કાનો સિદ્ધાંત' (Law of Three Stages) આપ્યો હતો. જેમાં ધાર્મિક, તાત્વિક અને પ્રત્યક્ષવાદી (વૈજ્ઞાનિક) તબક્કાઓનો સમાવેશ થાય છે. કોમ્ટની પ્રત્યક્ષવાદી પદ્ધતિ આજે પણ જટિલ સામાજિક પ્રશ્નોના ઉકેલ માટે દીવાદાંડી સમાન છે.
યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણ એ દુરવાણી (ફોન) દ્વારા વિદ્યાર્થીઓને સંબોધતા કોમ્ટના વિચારોને ભારતીય સંસ્કૃતિ સાથે સાંકળ્યા હતા. તેમણે જણાવ્યું કે, જ્યારે ઓગસ્ટ કોમ્ટ વ્યવસ્થા અને પ્રગતિની વાત કરે છે, ત્યારે આપણી સંસ્કૃતિ 'વસુધૈવ કુટુંબકમ' (Vasudhaiva Kutumbakam) ના મંત્ર સાથે આખી પૃથ્વીને એક પરિવાર માને છે. તેમણે આધુનિક જીનેટિક્સનો ઉલ્લેખ કરી જણાવ્યું કે સમગ્ર માનવજાતના જિન્સ (X અને Y ક્રોમોઝોમ) એક જ છે, જે આપણી પ્રાચીન એકતાની ભાવનાને પુષ્ટ કરે છે.
વિષય તજજ્ઞ ડૉ. મેઘરાજસિંહ જાડેજા (બહાઉદ્દીન કોલેજ) એ કોમ્ટના અમર ગ્રંથો 'કોર્સ ઓફ પોઝિટિવ ફિલોસોફી' અને 'સિસ્ટમ ઓફ પોઝિટિવ પોલિટિક્સ' ના પરિમાણો વિશે વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. પરાગ દેવાણી એ કર્યું હતું, જ્યારે ડૉ. ઋષિરાજ ઉપાધ્યા એ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. વક્તૃત્વ સ્પર્ધામાં સહભાગી થયેલા વિદ્યાર્થીઓએ ઓગસ્ટ કોમ્ટના ક્રાંતિકારી વિચારોને આજના ડિજિટલ યુગમાં મૂલવ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.