ચાણસ્મામાં ક્ષત્રિય સમાજ દ્વારા સમૂહલગ્નનો થનગનાટ: દાતાઓએ દાનની સરવાણી વહેવડાવી
ચાણસ્મામાં ૨૨ ફેબ્રુઆરીએ સંતોષ ગૌશાળા ખાતે ક્ષત્રિય સમાજના સમૂહલગ્ન યોજાશે. મંડપ ડેકોરેશનના ખર્ચ માટે અમદાવાદના દાતા પ્રકાશસિંહ ઠાકોરે જાહેરાત કરી.
સમાજમાં પ્રવર્તતા કુરિવાજોને તિલાંજલિ આપવા અને લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ પર લગામ કસવાના ઉમદા હેતુ સાથે ચાણસ્મામાં ક્ષત્રિય ચેરીટેબલ ટ્રસ્ટદ્વારા આગામી ૨૨મી ફેબ્રુઆરીના રોજ સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઘાણોદરડા સ્થિત સંતોષ ગૌશાળાના પવિત્ર પરિસરમાં ગૌમાતાના સાનિધ્યમાં આ મંગલ પ્રસંગ યોજાશે. હાલના મોંઘવારીના સમયમાં પરિવારો પર આર્થિક ભારણ ન વધે તે માટે સમાજના અગ્રણીઓએ આ ભગીરથ કાર્ય ઉપાડ્યું છે, જેની તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે.
સમૂહલગ્નની જાહેરાત થતા જ ભાગ્યશાળી દાતાઓ દ્વારા દાનની સરવાણી શરૂ થઈ છે. મૂળ મંડલોપના વતની અને હાલ અમદાવાદ સ્થિત ઉદ્યોગપતિ <b>પ્રકાશસિંહ ઠાકોરે</b> ચાણસ્મા ઓફિસની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે આ પ્રસંગ માટે વિશાળ મંડપ અને ડેકોરેશનનો તમામ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરતા આયોજકોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. સમૂહલગ્ન સમિતિના વિક્રમજી ઠાકોર, ભોમજી સિંહ ઝાલા અને સેંધા ગામના ક્ષત્રિય સેનાના આગેવાનો દ્વારા દાતાનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.
આ આયોજનમાં માત્ર મંડપ જ નહીં, પરંતુ ભોજન, કંકોતરી અને અન્ય વૈવાહિક વ્યવસ્થાઓ માટે પણ અનેક સેવાભાવી નરબંકાઓ આગળ આવ્યા છે. આયોજકોના જણાવ્યા મુજબ, આ સમૂહલગ્ન થકી એક પરિવાર નહીં પણ સમગ્ર સમાજ એકતાના સૂત્રે બંધાશે. જાણકારોનું માનવું છે કે, આ પ્રકારના આયોજનો મધ્યમ અને ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. હાલ સમિતિ દ્વારા વ્યવસ્થાપન, રજિસ્ટ્રેશન અને ડેકોરેશનની કામગીરીને વેગવંતી બનાવવામાં આવી છે.
ચાણસ્મા ક્ષત્રિય ચેરીટેબલ ટ્રસ્ટનો આ પ્રયાસ સામાજિક પરિવર્તન તરફનું એક મક્કમ ડગલું છે. ગૌશાળાના સાનિધ્યમાં યોજાનારા આ લગ્ન સમાજને સાદગી અને એકતાનો સંદેશ આપશે. 'અમદાવાદ એક્સપ્રેસ' આ ભગીરથ કાર્યને બિરદાવે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.