જુઓ: ડાંગમાં 'જીવનદાન મહાકુંભ'માં રક્તદાતાઓનો ભારે ઉત્સાહ, ધારાસભ્ય વિજયભાઈ પટેલની હાજરીમાં 439 યુનિટ લોહી એકત્ર!
ડાંગ ના વઘઈમાં વિજયભાઈ પટેલ ની હાજરીમાં રક્તદાન શિબિર યોજાઈ. રામાનંદાચાર્ય સંપ્રદાય દ્વારા 439 યુનિટ રક્ત એકત્ર.
ડાંગ જિલ્લામાં રામાનંદાચાર્ય સંપ્રદાય (Ramananda Sampradaya) દ્વારા "જીવનદાન મહાકુંભ-2026" અંતર્ગત આયોજિત ભવ્ય રક્તદાન શિબિરમાં કુલ 439 યુનિટ રક્તનો સંગ્રહ કરવામાં આવ્યો છે. 18 જાન્યુઆરી, 2026 ના રોજ વઘઈ કમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય વિજયભાઈ પટેલ (Vijaybhai Patel) એ વિશેષ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ રક્તદાન શિબિરનો મુખ્ય હેતુ સિકલ સેલ એનીમિયા, કિડની ફેલર, થેલેસેમિયા અને બ્લડ કેન્સર જેવા ગંભીર રોગોથી પીડાતા દર્દીઓને સમયસર લોહી પૂરું પાડી નવું જીવન આપવાનો છે.
જગદગુરુ શ્રીમદ્ રામાનંદાચાર્ય નરેન્દ્રાચાર્યજી (Jagadguru Ramanandacharya Narendracharyaji) ની પ્રેરણાથી ડાંગ જિલ્લાના વિવિધ પંથ અને ધર્મના લોકો આ સેવાયજ્ઞમાં જોડાયા હતા. સમગ્ર જિલ્લામાં થયેલા રક્તદાનના તાલુકાવાર આંકડા નીચે મુજબ છે:
આહવા તાલુકો: 200 યુનિટ
વઘઈ તાલુકો: 159 યુનિટ
સુબીર તાલુકો: 80 યુનિટ
આમ, સમગ્ર જિલ્લામાં કુલ 439 યુનિટ રક્ત એકત્રિત કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
નોંધનીય છે કે રામાનંદ સંપ્રદાય દ્વારા સમગ્ર ભારતમાં 4 જાન્યુઆરી થી 18 જાન્યુઆરી દરમિયાન વિવિધ રાજ્યોમાં રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ડાંગ જિલ્લામાં પણ આ મહાકુંભનું સફળ આયોજન થયું હતું. ધારાસભ્ય વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડાંગના આદિવાસી સમાજમાં રક્તદાન પ્રત્યે વધતી જાગૃતિ એ ખૂબ જ આવકારદાયક બાબત છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તબીબી સ્ટાફ, સ્વયંસેવકો અને આયોજકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.