કન્યાકુમારી થી કાશ્મીર સુધી ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ઈન્ડિયા ની નાણાંકીય આઝાદીની ડ્રાઇવ શરૂ
ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ઈન્ડિયાએ મહિલાઓ માટે ‘ચેન્જ ધ સોચ’ અભિયાન શરૂ કર્યું. અવિનાશ સાતવલેકર 4,000 કિમીની ડ્રાઇવ દ્વારા નાણાંકીય સાક્ષરતા ફેલાવશે
ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ઇન્ડિયા (Franklin Templeton India) એ ભારતમાં તેના 30 વર્ષની ઉજવણી નિમિત્તે ‘ચેન્જ ધ સોચ - કન્યાકુમારી ટુ કાશ્મીર ડ્રાઇવ’ નામે એક વિશાળ જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આ યાત્રા દ્વારા દેશભરની મહિલાઓને મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) રોકાણ અને નાણાંકીય આયોજન માટે સશક્ત કરવામાં આવશે.
ભારતીય રોકાણકારોમાં, ખાસ કરીને મહિલાઓમાં નાણાંકીય સાક્ષરતા વધારવાના ઉદ્દેશ્ય સાથે ફ્રેન્કલિન ટેમ્પલ્ટન (ઈન્ડિયા) એ 21 January 2026 ના રોજ મુંબઈ થી એક અનોખા અભિયાનને લીલી ઝંડી આપી છે. ‘ચેન્જ ધ સોચ’ (Change The Soch) નામની આ ડ્રાઇવ ભારતના દક્ષિણ છેડે કન્યાકુમારી થી શરૂ થઈને છેક ઉત્તરમાં શ્રીનગર ખાતે પૂર્ણ થશે.
આ અભિયાનનું નેતૃત્વ ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અવિનાશ સાતવલેકર કરી રહ્યા છે. તેઓ 4,000 કિમીથી વધુની આ મુસાફરી દરમિયાન 21 શહેરોને આવરી લેશે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ટિયર 2 અને ટિયર 3 શહેરોની મહિલાઓને નાણાંકીય જ્ઞાન અને સાધનોની પહોંચ પૂરી પાડવાનો છે.
વિવિધ સમુદાયો સાથે જોડાણ: આ યાત્રામાં ખેડૂતો, માછીમારી સમુદાયો, શિક્ષકો, ઉદ્યોગસાહસિકો અને સૈન્ય તથા પોલીસ કર્મચારીઓની મહિલાઓ સાથે વર્કશોપ યોજવામાં આવશે.
રોકાણકાર શિક્ષણ: મ્યુચ્યુઅલ ફંડ રોકાણના રહસ્યોને સરળ ભાષામાં સમજાવવા અને લાંબા ગાળાની સંપત્તિ (Wealth Creation) બનાવવાની રીતો શીખવવી.
નાણાંકીય સમાવેશ: બચતની જૂની રીતો છોડીને ડિજિટલ ફાઇનાન્સ અને રોકાણ તરફ વળવા માટે પ્રેરણા આપવી.
અવિનાશ સાતવલેકરે જણાવ્યું હતું કે, “જ્યારે મહિલાઓ જાણકાર નાણાંકીય નિર્ણયો લે છે, ત્યારે પરિવારો વધુ સ્થિતિસ્થાપક બને છે. ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે મહિલાઓનું નાણાંકીય સશક્તિકરણ અનિવાર્ય છે.” શહેરી વિસ્તારોમાં પ્રગતિ થઈ છે, પરંતુ ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં હજુ પણ નાણાંકીય જ્ઞાનનો અભાવ છે, જેને આ અભિયાન દૂર કરશે.
આ પહેલ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ માટે પણ મહત્વની માનવામાં આવે છે કારણ કે તે નવા અને નાના શહેરોના રોકાણકારોને માર્કેટ સાથે જોડવામાં મદદરૂપ થશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.