ચોંકાવનારું: ગુજરાતમાં 5000 વર્ષ પહેલાં ત્રાટકી હતી વિનાશક સુનામી, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મળ્યા જીવંત પુરાવા!
કચ્છ અને સૌરાષ્ટ્ર માં 5000 વર્ષ જૂની સુનામીના પુરાવા મળ્યા. પ્રો. દ્રષ્ટિ ગાંધીનું અરબી સમુદ્ર ની હાઈ એનર્જી ઇવેન્ટ્સ પર સંશોધન.
અમદાવાદની એમ.જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ (M.G. Science Institute) ના જીઓલોજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર દ્રષ્ટિ ગાંધી (Drashti Gandhi) એ ગુજરાતના પશ્ચિમ દરિયાકાંઠે હજારો વર્ષ પહેલાં આવેલી 'હાઈ એનર્જી મરીન ઇવેન્ટ્સ' એટલે કે સુનામી અને ચક્રવાત અંગેના ચોંકાવનારા સંશોધન રજૂ કર્યા છે. 19 જાન્યુઆરી, 2026 ના રોજ પ્રકાશિત અહેવાલ મુજબ, કચ્છના મુન્દ્રા અને નારાયણ સરોવર તેમજ સૌરાષ્ટ્રના દીવ અને ચોરવાડમાં 5000 વર્ષ જૂની સુનામીના ભૂસ્તરશાસ્ત્રીય પુરાવા મળી આવ્યા છે.
આ સંશોધન ગાંધીનગર (Gandhinagar) સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (Institute of Seismological Research - ISR) ના ડૉ. કપિલ મોહન અને ડૉ. સિદ્ધાર્થ પ્રિઝોમવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.
સંશોધન દરમિયાન કચ્છના કિનારે 250 કિમી લાંબા સ્તરમાં 'ફોરામિનિફેરા' (Foraminifera) નામના સૂક્ષ્મ જીવો અને તૂટેલા શેલ મળી આવ્યા છે. રેતીની આ ચાદર એક શક્તિશાળી દરિયાઈ આક્રમણ સૂચવે છે. ડેટિંગ તકનીકો દ્વારા જાણવા મળ્યું છે કે આ ઘટના આશરે 1000 વર્ષ પહેલાં બની હતી. વૈજ્ઞાનિકો તેને વર્ષ 1008 માં થયેલા રહસ્યમય 'હોર્મુઝ સ્ટ્રેટ ભૂકંપ' સાથે જોડી રહ્યા છે, જેણે અરબી સમુદ્રમાં જહાજો અને પ્રાચીન વસાહતોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
સૌરાષ્ટ્રના દીવ (Diu) ટાપુ અને ચોરવાડ (Chorwad) ના દરિયાકિનારે સુનામીજન્ય બોલ્ડર (વિશાળ પથ્થરો) જોવા મળ્યા છે. OSL ડેટિંગ (Optically Stimulated Luminescence dating) પદ્ધતિ દ્વારા આ પથ્થરોની ઉંમર 5000 વર્ષ આંકવામાં આવી છે. આ પથ્થરો દરિયાના તળિયેથી ઉછળીને રેતીના ટેકરાઓ પર ધસી આવ્યા હોવાના પુરાવા મળ્યા છે. આ ઉપરાંત, 1982 ના ચક્રવાત દરમિયાન નવાબંદર ખાતે થયેલા વિસ્થાપનના પુરાવા પણ સંશોધનમાં સામેલ છે.
ગુજરાત પાસે 1600 કિમી લાંબો દરિયાકાંઠો છે. તેની મેક્રોટાઇડલ ખાડીઓ, કચ્છનો અખાત (Gulf of Kutch) અને ખંભાતનો અખાત (Gulf of Khambhat) સીધો અરબી સમુદ્ર (Arabian Sea) નો સામનો કરે છે. ભૌગોલિક રચનાને કારણે ગુજરાતનો કિનારો ઉચ્ચ-ઊર્જા દરિયાઇ ઘટનાઓ માટે 'હોટ સ્પોટ' માનવામાં આવે છે. આ સંશોધન ભવિષ્યમાં દરિયાકાંઠાના સુરક્ષા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન માટે અત્યંત મહત્વનું સાબિત થશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.