ગુજરાતીમાં ફિટનેસ માટે ચાલવાના ફાયદા: રોજ માત્ર 7,000 પગલાંથી હૃદય, ડિપ્રેશન અને ડાયાબિટીસનું જોખમ ઘટે છે
રોજ 7,000 પગલાં ચાલવાથી હૃદયરોગ, ડિપ્રેશન અને ડાયાબિટીસનું જોખમ ઘટે છે. ગુજરાતીમાં જાણો ચાલવાના ફાયદા અને નવી રિસર્ચ શું કહે છે. હેલ્થી રહેવા માટે આજે જ શરૂ કરો!
આપણે બધાએ ડૉક્ટર્સ અને હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી સાંભળ્યું હશે કે રોજ 10,000 પગલાં ચાલવાથી તમે ફિટ અને હેલ્થી રહી શકો છો. આ સાંભળવામાં ખૂબ સરળ લાગે છે, પરંતુ ઘણા લોકો માટે આટલું ચાલવું મુશ્કેલ લાગે છે. પરંતુ, જો અમે તમને કહીએ કે ફિટ રહેવા માટે 10,000 નહીં, પરંતુ ફક્ત 7,000 પગલાં રોજ ચાલવાની જરૂર છે, તો તમને કેવું લાગશે? સરસ લાગે છે, નહીં?
અત્યાર સુધી આપણે બધા એવું જ વિચારતા હતા કે રોજ 10,000 પગલાં ચાલવું એ જ ફિટ રહેવાનો સાચો રસ્તો છે. પરંતુ હવે એક નવી રિસર્ચમાં ખબર પડી છે કે આટલી મહેનતની જરૂર નથી. આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જો તમે રોજ માત્ર 7,000 પગલાં ચાલો છો, તો પણ તમારું હૃદય મજબૂત રહે છે અને તમે લાંબું જીવન જીવી શકો છો. ચાલો જાણીએ કે આ રિસર્ચમાં શું ખાસ વાત સામે આવી છે અને શા માટે 7,000 પગલાં હવે નવી હેલ્થી આદત તરીકે ગણાય છે.
‘ધ લેન્સેટ પબ્લિક હેલ્થ’માં પ્રકાશિત એક નવી રિસર્ચમાં 1,60,000થી વધુ પુખ્ત વયના લોકો પર કરવામાં આવેલ 57 અભ્યાસોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું. આ રિસર્ચમાં જાણવા મળ્યું કે રોજ 7,000 પગલાં ચાલવાથી નાની ઉંમરે મૃત્યુ અને હૃદય સંબંધી સમસ્યાઓનું જોખમ લગભગ અડધું થઈ શકે છે. આ ઉપરાંત, ટાઇપ-2 ડાયાબિટીસ, ડિમેન્શિયા (ભૂલવાની બીમારી) અને ડિપ્રેશન જેવી બીમારીઓની શક્યતા પણ ઓછી થાય છે. જોકે 10,000 પગલાં ચાલવું હજુ પણ ફાયદાકારક છે, પરંતુ રિસર્ચર્સનું કહેવું છે કે મોટાભાગના લોકો માટે 7,000 પગલાં ચાલવું વધુ ફાયદાકારક અને વ્યવહારુ છે.
રિસર્ચર્સે જાણ્યું કે હેલ્થના ફાયદા 7,000 પગલાં સુધી પહોંચતા પહેલા જ મળવા શરૂ થઈ જાય છે. દર 1,000 વધારાના પગલાંથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે છે, ખાસ કરીને જ્યારે તમે રોજ 5,000થી 7,000 પગલાં ચાલો છો. આ પછી ફાયદા ધીમે-ધીમે મળે છે.
એટલે કે, જો તમે 10,000 પગલાં ચાલો છો, તો 7,000 પગલાંની સરખામણીમાં થોડા વધુ ફાયદા થાય છે, જેમ કે નાની ઉંમરે મૃત્યુનું જોખમ 10% વધુ ઘટે છે. પરંતુ 7,000 પગલાં સુધીમાં જ સારા સ્વાસ્થ્ય માટે જરૂરી મોટાભાગના ફાયદા મળી જાય છે.
જે લોકો રોજ 7,000 પગલાં ચાલે છે, તેમનું સ્વાસ્થ્ય એવા લોકો કરતાં ઘણું સારું જોવા મળ્યું જેઓ ફક્ત 2,000 પગલાં ચાલે છે. રિસર્ચ મુજબ, રોજ 7,000 પગલાં ચાલનારાઓમાં નાની ઉંમરે મૃત્યુનું જોખમ 47% ઓછું હતું. તેમનો હાર્ટ એટેક અને હૃદયરોગનું જોખમ 25% ઓછું હતું, અને હૃદયરોગથી મૃત્યુનું જોખમ પણ 47% ઓછું હતું. આ ઉપરાંત, કેન્સરથી મૃત્યુનું જોખમ 37% ઓછું, ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ 14% ઓછું, ડિમેન્શિયાનું જોખમ 38% ઓછું અને ડિપ્રેશનનું જોખમ 22% ઓછું જોવા મળ્યું. રોજ ચાલવાથી પડી જવાનું જોખમ પણ 28% ઓછું થયું. રસપ્રદ વાત એ છે કે જે લોકો રોજ 4,000 પગલાં પણ ચાલે છે, તેમનામાં પણ નાની ઉંમરે મૃત્યુનું જોખમ 2,000 પગલાં ચાલનારાઓની સરખામણીમાં 36% ઓછું હતું.
ચાલવું એ તમારા સ્વાસ્થ્ય માટે સૌથી સરળ અને શ્રેષ્ઠ વ્યાયામોમાંનું એક છે. તેના ઘણા ફાયદા છે:
હૃદયને હેલ્થી રાખે છે: ચાલવાથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, જેનાથી હૃદયરોગનું જોખમ ઘટે છે.
મગજ માટે સારું: રોજ ચાલવાથી યાદશક્તિ વધે છે, મૂડ સારું થાય છે અને ડિમેન્શિયાનું જોખમ ઓછું થાય છે.
વજન ઘટાડવામાં મદદ કરે છે: ચાલવાથી કેલરી બર્ન થાય છે અને શરીરનું વજન નિયંત્રણમાં રહે છે.
સ્નાયુઓ અને સાંધાને મજબૂત બનાવે છે: ચાલવાથી પગ મજબૂત થાય છે અને સાંધાની જકડાઈ ઓછી થાય છે, ખાસ કરીને વૃદ્ધો માટે.
તણાવ ઘટાડે છે: કુદરતની વચ્ચે ચાલવાથી મનને શાંતિ મળે છે અને ચિંતા તથા ડિપ્રેશન ઓછું થાય છે.
નીંદરમાં સુધારો કરે છે: રોજ ચાલનારાઓને સારી નીંદર આવે છે.
આજથી જ શરૂ કરો! રોજ 7,000 પગલાં ચાલવું એ નાની પરંતુ અસરકારક આદત છે, જે તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. તો શું વિચારો છો? તમારા ફોનમાં પેડોમીટર એપ ડાઉનલોડ કરો, ચાલવાનું શરૂ કરો અને હેલ્થી જીવન તરફ એક પગલું આગળ વધો!
ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ હાયલ્યુરોનિક એસિડ (sHA) જેલ દ્વારા ગાયનેકોલોજિકલ કેન્સરની સારવાર વધુ સુરક્ષિત બનાવી. રેડિયેશનની આડઅસરો ઘટાડવામાં મળી સફળતા.
લોકો ઘણીવાર ગઈ રાતની બચેલી રોટલી નકામી માનીને ફેંકી દે છે. પરંતુ કદાચ તમને ખબર નથી કે વાસી રોટલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો, આજે આપણે જાણીશું કે વાસી રોટલી કોના માટે સૌથી ફાયદાકારક છે.
ઘણા લોકો દરરોજ ઓછું પાણી પીવું સામાન્ય માને છે, પરંતુ આ આદત કિડની સ્ટોનના જોખમને વધારી શકે છે. ચાલો આ વિશે ડોક્ટર પાસેથી જાણીએ.