Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • સાવધાન: જાફરાબાદના માછીમારો માટે મોટા સમાચાર, આ પોર્ટલ પર નોંધણી વગર કોઈ સુવિધા યોજનાનો ફાયદો!

સાવધાન: જાફરાબાદના માછીમારો માટે મોટા સમાચાર, આ પોર્ટલ પર નોંધણી વગર કોઈ સુવિધા યોજનાનો ફાયદો!

જાફરાબાદ ફીશરીઝ ઓફિસનો પરિપત્ર. NFDP પોર્ટલ પર નોંધણી વગર PM-MKSSY અને PMMSY યોજનાનો લાભ નહીં મળે.

Jafrabad January 19, 2026
સાવધાન: જાફરાબાદના માછીમારો માટે મોટા સમાચાર, આ પોર્ટલ પર નોંધણી વગર કોઈ સુવિધા યોજનાનો ફાયદો!

સાવધાન: જાફરાબાદના માછીમારો માટે મોટા સમાચાર, આ પોર્ટલ પર નોંધણી વગર કોઈ સુવિધા યોજનાનો ફાયદો!

મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી, જાફરાબાદ (Assistant Director of Fisheries, Jafarabad) દ્વારા જાફરાબાદ બંદરના તમામ સાગરખેડૂઓ, બોટ માલિકો અને માછીમાર ભાઈ-બહેનો માટે અગત્યનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. 19 જાન્યુઆરી, 2026 ના રોજ કરવામાં આવેલી આ જાહેરાત મુજબ, હવે ભારત સરકારના નેશનલ ફીશરીઝ ડીઝીટલ પ્લેટફોર્મ (National Fisheries Digital Platform - NFDP) પર નોંધણી કરાવવી ફરજિયાત છે.

આ નવી પહેલ હેઠળ પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ-યોજના (PM-MKSSY) નો લાભ મેળવવા માટે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન હોવું અનિવાર્ય છે. જે માછીમારો નોંધણી નહીં કરાવે, તેમને ભવિષ્યમાં કોઈ પણ સરકારી સહાય કે યોજનાનો લાભ મળશે નહીં.

NFDP પોર્ટલ પર નોંધણી કેમ જરૂરી છે?

ભારત સરકારના મત્સ્યોદ્યોગ મંત્રાલય દ્વારા PMMSY (Pradhan Mantri Matsya Sampada Yojana) અંતર્ગત આ ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. જાફરાબાદ ફીશરીઝ ઓફિસના જણાવ્યા અનુસાર:

માત્ર NFDP પોર્ટલ પર નોંધણી થયેલ સક્રિય માછીમારોને જ યોજનાકીય લાભો મળશે.

નોંધણી બાદ માછીમારોને એક ખાસ પ્રમાણપત્ર આપવામાં આવશે, જે તેમની ઓળખ તરીકે ગણાશે.

જથ્થાબંધ અને છૂટક માછલીના વેપારીઓ માટે પણ આ નોંધણી આવશ્યક છે.

નોંધણી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ અને પ્રક્રિયા

બોટ એસોસિએશનના પ્રમુખશ્રીઓ અને મત્સ્યોદ્યોગ મંડળીના આગેવાનોને સૂચના આપવામાં આવી છે કે તેઓ તમામ માછીમારોને CSC સેન્ટર અથવા જાફરાબાદ ફીશરીઝ ઓફિસ ખાતે નીચે મુજબના પુરાવાઓ સાથે મોકલે:

આધાર કાર્ડ (Aadhaar Card)

બેંક પાસબુક (Bank Passbook)

આધાર લીંક મોબાઈલ નંબર

મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીએ સ્પષ્ટ કર્યું છે કે ડિજિટલ ક્રાંતિના આ યુગમાં માછીમારોને પારદર્શક રીતે લાભ મળે તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જાફરાબાદ બંદરના તમામ હિસ્સેદારોને વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરાયો છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી
gandhinagar
March 20, 2026

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે. 

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

Braking News

સૈફ અલી ખાન મુંબઈની હોસ્પિટલમાં દાખલ, સર્જરી ચાલી રહી છે, સ્વાસ્થ્ય અપડેટ જાહેર થયું
સૈફ અલી ખાન મુંબઈની હોસ્પિટલમાં દાખલ, સર્જરી ચાલી રહી છે, સ્વાસ્થ્ય અપડેટ જાહેર થયું
January 22, 2024

સૈફ અલી ખાનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સૈફ આજે સવારથી હોસ્પિટલમાં દાખલ છે. તેણે સર્જરી કરાવી છે. સૈફની સર્જરી વિશે સાંભળીને તેના તમામ ચાહકો નારાજ છે અને અભિનેતાના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. જો કે, તેમાં ગભરાવાનું કંઈ નથી.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ટાઇટેનિકથી વિલ્હેમ ગસ્ટલોફ સુધી: વિશ્વને હચમચાવી નાખતી દરિયાઇ આપત્તિઓની દુ:ખદ વાર્તાઓ
ટાઇટેનિકથી વિલ્હેમ ગસ્ટલોફ સુધી: વિશ્વને હચમચાવી નાખતી દરિયાઇ આપત્તિઓની દુ:ખદ વાર્તાઓ
June 25, 2023
અસરકારક વજન ઘટાડવા માટે ફૂડ ક્રેવિંગ્સને સમજવું અને તેનું સંચાલન કરવું
અસરકારક વજન ઘટાડવા માટે ફૂડ ક્રેવિંગ્સને સમજવું અને તેનું સંચાલન કરવું
June 07, 2023
શું મોદી કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું, હવે થશે કે નહીં? બધા સમીકરણો સમજો
શું મોદી કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું, હવે થશે કે નહીં? બધા સમીકરણો સમજો
July 25, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express