સાવધાન: જાફરાબાદના માછીમારો માટે મોટા સમાચાર, આ પોર્ટલ પર નોંધણી વગર કોઈ સુવિધા યોજનાનો ફાયદો!
જાફરાબાદ ફીશરીઝ ઓફિસનો પરિપત્ર. NFDP પોર્ટલ પર નોંધણી વગર PM-MKSSY અને PMMSY યોજનાનો લાભ નહીં મળે.
મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી, જાફરાબાદ (Assistant Director of Fisheries, Jafarabad) દ્વારા જાફરાબાદ બંદરના તમામ સાગરખેડૂઓ, બોટ માલિકો અને માછીમાર ભાઈ-બહેનો માટે અગત્યનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. 19 જાન્યુઆરી, 2026 ના રોજ કરવામાં આવેલી આ જાહેરાત મુજબ, હવે ભારત સરકારના નેશનલ ફીશરીઝ ડીઝીટલ પ્લેટફોર્મ (National Fisheries Digital Platform - NFDP) પર નોંધણી કરાવવી ફરજિયાત છે.
આ નવી પહેલ હેઠળ પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ-યોજના (PM-MKSSY) નો લાભ મેળવવા માટે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન હોવું અનિવાર્ય છે. જે માછીમારો નોંધણી નહીં કરાવે, તેમને ભવિષ્યમાં કોઈ પણ સરકારી સહાય કે યોજનાનો લાભ મળશે નહીં.
ભારત સરકારના મત્સ્યોદ્યોગ મંત્રાલય દ્વારા PMMSY (Pradhan Mantri Matsya Sampada Yojana) અંતર્ગત આ ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. જાફરાબાદ ફીશરીઝ ઓફિસના જણાવ્યા અનુસાર:
માત્ર NFDP પોર્ટલ પર નોંધણી થયેલ સક્રિય માછીમારોને જ યોજનાકીય લાભો મળશે.
નોંધણી બાદ માછીમારોને એક ખાસ પ્રમાણપત્ર આપવામાં આવશે, જે તેમની ઓળખ તરીકે ગણાશે.
જથ્થાબંધ અને છૂટક માછલીના વેપારીઓ માટે પણ આ નોંધણી આવશ્યક છે.
બોટ એસોસિએશનના પ્રમુખશ્રીઓ અને મત્સ્યોદ્યોગ મંડળીના આગેવાનોને સૂચના આપવામાં આવી છે કે તેઓ તમામ માછીમારોને CSC સેન્ટર અથવા જાફરાબાદ ફીશરીઝ ઓફિસ ખાતે નીચે મુજબના પુરાવાઓ સાથે મોકલે:
આધાર કાર્ડ (Aadhaar Card)
બેંક પાસબુક (Bank Passbook)
મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીએ સ્પષ્ટ કર્યું છે કે ડિજિટલ ક્રાંતિના આ યુગમાં માછીમારોને પારદર્શક રીતે લાભ મળે તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જાફરાબાદ બંદરના તમામ હિસ્સેદારોને વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરાયો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.