"મુખ્યમંત્રી યાત્રા બંધ કરો, દીકરીઓ બચાવો", રોહિણી આચાર્યનો નીતીશ કુમાર પર સીધો પ્રહાર, પટનામાં ગર્લ્સ હોસ્ટેલની ઘટનાથી ખળભળાટ!
પટનામાં દીકરીઓની સુરક્ષા મુદ્દે રોહિણી આચાર્ય એ નીતીશ કુમાર ને ઘેર્યા. ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીના શંકાસ્પદ મોતથી રોષ.
બિહારની રાજધાની પટનામાં મહિલાઓની સુરક્ષાને લઈને રાજકીય ભૂકંપ આવ્યો છે. આરજેડી (RJD) સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) ની પુત્રી રોહિણી આચાર્ય (Rohini Acharya) એ મુખ્યમંત્રી નીતીશ કુમાર (Nitish Kumar) ની 'સમૃદ્ધિ યાત્રા' પર સવાલ ઉઠાવી બિહારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અત્યંત ગંભીર ગણાવી છે.
બિહારમાં છેલ્લા કેટલાક દિવસોથી મહિલાઓ અને ખાસ કરીને વિદ્યાર્થીનીઓ સામે વધતા ગુનાઓએ હડકંપ મચાવ્યો છે. 2026 ના પ્રારંભે જ પટનાની પ્રતિષ્ઠિત ગર્લ્સ હોસ્ટેલોમાં બનેલી ઘટનાઓએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર આક્રમક વલણ અપનાવતા રોહિણી આચાર્ય એ નીતીશ કુમારને પોતાની યાત્રા સ્થગિત કરી જમીની હકીકત તપાસવા સલાહ આપી છે.
રોહિણી આચાર્યએ તેમના પોસ્ટમાં પટનાની બે મુખ્ય હોસ્ટેલોનો ઉલ્લેખ કર્યો છે:
શંભુ ગર્લ્સ હોસ્ટેલ: 6 જાન્યુઆરીએ અહીં બનેલી ઘટનાએ બિહારની છબી ખરડી છે.
પરફેક્ટ ગર્લ્સ હોસ્ટેલ (ફ્રેઝર રોડ): અહીં NEET ની તૈયારી કરતી એક વિદ્યાર્થીનીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. મૃતક વિદ્યાર્થીની ઔરંગાબાદ જિલ્લાના ગોહ બ્લોકની રહેવાસી હતી.
પરિવારજનોનો આક્ષેપ છે કે દીકરીના ગળા પર ઈજાના નિશાન હતા, પરંતુ પોલીસે તેને ધ્યાને લીધા વગર મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા દબાણ કર્યું હતું. આ મામલે પોલીસે હાલ 2 લોકો સામે FIR નોંધી છે અને એકની ધરપકડ કરી છે.
રોહિણી આચાર્યએ સીધો સવાલ કરતા પૂછ્યું કે, "શું આપણું બિહાર—જે માતા સીતાની જન્મભૂમિ છે—તે હવે માતાઓ, બહેનો અને દીકરીઓ માટે સુરક્ષિત નથી રહ્યું?" તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે જે શાસનમાં બળાત્કારીઓ અને ગુનેગારોને પોલીસ કે પ્રશાસનનો ડર નથી રહ્યો, તે શાસન માટે આ શરમજનક બાબત છે.
વિપક્ષી દળો હવે આ મુદ્દે નીતીશ સરકારને ઘેરી રહ્યા છે. પટનામાં આવેલી અનેક ખાનગી ગર્લ્સ હોસ્ટેલોમાં સુરક્ષાના અભાવે વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. લોકો હવે તમામ હોસ્ટેલોમાં કડક મોનિટરિંગ અને CCTV સર્વેલન્સની માંગ કરી રહ્યા છે. આગામી દિવસોમાં આ મુદ્દે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ વધુ તેજ થવાની શક્યતા છે.
વડાપ્રધાન મોદીએ ખેડૂતોના હિત, કનેક્ટિવિટી અને ઔદ્યોગિક વિકાસ માટે કેબિનેટના નિર્ણયોની પ્રશંસા કરી છે. જાણો કપાસના MSP, BHAVYA યોજના અને હાઈવે પ્રોજેક્ટની સંપૂર્ણ વિગત.
CJI સૂર્યકાંતે રોહિણીમાં ફેમિલી કોર્ટ સંકુલનો શિલાન્યાસ કર્યો. તેમણે વકીલોને કાળા કોટ અને પોલીસને યુનિફોર્મ વગર રહેવા સૂચન કર્યું જેથી બાળકો ડરે નહીં.