ગુજરાત વિધાનસભાના પાર્કિગમાંથી પણ વિપક્ષના નેતાનો છેદ ઉડાડી દેવાયો!
વિધાનસભા પરિસરમાં વિપક્ષના નેતાની ગાડી માટે રિઝર્વ પાર્કિંગ હતું. જે જગ્યા વિપક્ષના નેતાના વાહન માટે રિઝર્વ હતી તેના પાટીયા ઉતારી લેવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ 156 બેઠકો પર વિજય પ્રાપ્ત કરી વિધાનસભાના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. આવામાં કોંગ્રેસને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા બનાવવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. આ મુશ્કેલીઓની વચ્ચે કોંગ્રેસના વિપક્ષના નેતા માટે રિઝર્વ રાખવામાં આવતા પાર્કિંગમાંથી પણ બાદબાકી કરી દેવામાં આવી છે.
વિધાનસભામાં વિપક્ષના નેતા માટે પૂરતું સભ્ય સંખ્યા બળ કોંગ્રેસ પાસે બચ્યું ન હોવાનો પણ ભાજપ દાવો કરી રહ્યો છે, કોંગ્રેસને પાછલી વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 17 બેઠકો જ જીતવામાં સફળતા મળી છે. હવે વિધાનસભાના વિપક્ષનું પદ સત્તાધારી ભાજપ કોંગ્રેસને આપે છે કે નહીં તેના ઉપર એક મોટો સવાલ ઉભો થયો છે. ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે કે સત્તાધારી પક્ષે નક્કી કર્યું છે કે વિપક્ષનું પદ એ કોંગ્રેસને ન આપો. કારણકે કોંગ્રેસ પાસે 10% જેટલા પણ ધારાસભ્યો નથી.
વિધાનસભાના પાર્કિંગમાં શું મોટા ફેરફાર કરાયા?
વિધાનસભાની અંદર પણ આ જ હલચલ ચાલી રહી છે, વિપક્ષના નેતા પદની વાત તો દૂર રહી પરંતુ વિધાનસભા પરિસરમાં પાર્કિંગ માટે પણ વિપક્ષને સ્થાન આપવામાં આવ્યું નથી ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોના પ્રવેશ દ્વાર સામે વિધાનસભાના અધ્યક્ષ વિધાનસભાના ઉપાધ્યક્ષ વિધાનસભાના વિપક્ષના નેતા અને વિપક્ષના ઉપનેતા ના ગાડી માટેના પાર્કિંગની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હોય છે.
આ પાર્કિંગ વ્યવસ્થામાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, વિપક્ષના નેતા અને ઉપનેતાની નેમ પ્લેટ પણ લગાવવામાં આવતી હોય છે, એટલે આ પાર્કિંગ નેતાઓ માટે રિઝર્વ રાખવામાં આવતું હોય છે, પરંતુ ગુજરાત વિધાનસભામાં આ પાર્કિંગની અંદર પણ વિરોધ પક્ષના નેતા અને ઉપનેતાને સ્થાન આપવામાં આવ્યું નથી.
છેલ્લા પાંચ દિવસથી વિધાનસભાના આ પાર્કિંગમાંથી વિધાનસભા અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને જનકના પાર્કિંગ માટે બોર્ડ લગાવેલા જોવા મળી રહ્યા છે. વિધાનસભાના વિપક્ષના નેતા અને ઉપનેતાના વાહન પાર્કિંગ માટેની નેમ પ્લેટ હટાવી દેવામાં આવી છે. આમ કોંગ્રેસને વિધાનસભાની અંદર અને બહાર બન્ને જગ્યાએથી હાલ તો છેદ ઉડી ગયો હોવાની ચર્ચાઓ થઈ રહી છે.
નીતિન નવીન ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે. નરેન્દ્ર મોદી ની હાજરીમાં 20 જાન્યુઆરીએ થશે સત્તાવાર જાહેરાત.
છોટુભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવા કોંગ્રેસમાં સામેલ. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું- 'ચૈતર વસાવા સામેની લડાઈમાં કોંગ્રેસમાં ભવિષ્ય ઉજળું', પણ ઝઘડિયા બેઠક પર જ ધ્યાન આપવું હિતાવહ.
દિગ્વિજય સિંહના ત્રીજા કાર્યકાળ અંગે અનિશ્ચિતતા યથાવત છે. તેઓ રાજ્યસભામાંથી નિવૃત્ત થવાના છે. કમલનાથ અને મીનાક્ષી નટરાજન જેવા મુખ્ય દાવેદારો પાઇપલાઇનમાં છે. પાર્ટીના નવા નેતૃત્વ, ખાસ કરીને જીતુ પટવારી અને ઉમંગ સિંઘર, લાંબા સમયથી "દિગ્વિજય વિરોધી" માનવામાં આવે છે. દિગ્વિજય સિંહનું અચાનક બળવાખોર વલણ માત્ર એક સંયોગ નથી, પરંતુ એક મોટો રાજકીય સંકેત છે.