ગુજરાત
3759 लेख
આશીર્વાદ ફાઉન્ડેશન તથા ગાયત્રી શક્તિપીઠ માણસા સંચાલિત “ગાયત્રી પ્રજ્ઞા મંદિર” ના સંયુક્ત સહયોગથી વિના-મુલ્યે સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમ
સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે.ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે.
ગુજરાતમાં 21 રેલવે સ્ટેશનોનું પરિવર્તન 'અમૃત ભારત સ્ટેશન યોજના' હેઠળના વર્લ્ડ ક્લાસ સ્ટેશનો
ભારતીય રેલવેએ ગુજરાતની પ્રગતિ અને સામાજિક આર્થિક વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. તે ગુજરાતની ઔદ્યોગિક ભાવનાને પ્રોત્સાહન પૂરું પાડે છે અને રાજ્યના વિકાસના એન્જિનને વેગ આપે છે. આવા વિકાસલક્ષી અને માળખાકીય કાર્યોને વેગ આપવા માટે, નાણાકીય વર્ષ 2023-24માં ગુજરાત રાજ્ય માટે રૂ. 8332 કરોડનો અંદાજપત્ર કરવામાં આવ્યો છે, જે વર્ષ 2009 થી 2014 વચ્ચે ફાળવવામાં આવેલા સરેરાશ બજેટ કરતાં 1315% વધુ છે.
જન ફરિયાદ નિવારણના ઓનલાઇન ઉપક્રમ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રીએ સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળી
ખેડૂત ખાતેદારો-સામાન્ય નાગરિકોને નાની-નાની રજૂઆતો માટે રાજ્ય સ્વાગતમાં આવવું ન પડે તેવી સમસ્યા નિવારણ વ્યવસ્થા જિલ્લા કક્ષાએ જ સુનિશ્ચિત કરીએ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની સરકારે સ્વીકારેલ માંગણીઓનો તાત્કાલિક અમલ નહીં થાય તો જલદ પગલાં લેવાશે
રાજ્યમાં ઓગષ્ટ મહિનામાં ટેન્ડર નહિ ભરવાના નિર્ણયને કારણે અંદાજે રૂ. 8000 કરોડના 2400 વિકાસલક્ષી કામો અટકયા.
ગાંધીનગર ખાતે 27 થી 29 ઓગસ્ટ, 2023 દરમિયાન G20 ચીફ સાયન્ટિફિક એડવાઇઝર્સ રાઉન્ડ ટેબલની બીજી મીટિંગ યોજાશે
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતે G20ની અધ્યક્ષતા સંભાળી છે, અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર દેશભરમાં ચર્ચા-વિચારણાઓ દ્વારા દેશ હાલ સક્રિય અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.
ગીર સોમનાથ પોલીસ દ્વારા ‘સાઈબર ક્રાઈમ અવેરનેસ એન્ડ સિક્યોરિટી’ પર સેમિનાર યોજાયો
'સાઈબર વોલન્ટિયર' બની મદદ કરવા યુવાઓને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજાની અપીલ, ડેટાથેફ્ટ, સેક્સટોર્શન, હેકિંગ, સાયબર બુલિંગ, ફાઈનાન્શિયલ ફ્રોડ સહિત સાઈબર ક્રાઈમ અંગે અપાયું માર્ગદર્શન, ઓનલાઈન સાઈબરક્રાઈમની ફરિયાદ અંગે હેલ્પલાઈન નં ૧૯૩૦નો કરવો સંપર્ક.
બાગાયત વિભાગની 'અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ' હેઠળ માળી કામની ત્રિ-દિવસીય તાલીમ
યોજનાકીય લાભો માટે તા.૨૨ સપ્ટેમ્બર સુધીમાં I-Khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી આવશ્યક.
ઝૂલન યાત્રાનું હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ઉજવણી
ઝૂલન ઉત્સવ શ્રાવણ મહિનામાં તેજસ્વી પખવાડિયાના અગિયારમાં દિવસથી(અગ્યારસ) પૂર્ણ-ચંદ્ર દિવસ(પૂર્ણિમા) સુધી ઉજવવામાં આવે છે. આ ઉત્સવ બાળપણમાં મનોરંજન માટે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના મિત્રો, ગાયો ચરાવનાર યુવાન છોકરા અને છોકરીઓ વૃક્ષ નીચે ઝૂલતા એ પ્રસંગની યાદગીરીરૂપે ઉજવવામાં આવે છે.
નડિયાદ રેલવે સ્ટેશન સ્ટાફની ત્વરિત કાર્યવાહીએ મહિલા મુસાફર અને રેલવે ગાર્ડનો જીવ બચાવ્યો
પશ્ચિમ રેલવેના નડિયાદ સ્ટેશનના રેલવે કર્મચારીઓએ માહિતી મળતાની સાથે જ ત્વરિત કાર્યવાહી કરીને સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી મહિલા અને રેલવેના ગુડ્ઝ ટ્રેન મેનેજર (રેલ્વે ગાર્ડ)ને હાર્ટ એટેક આવ્યો હોવાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં મોકલી આપેલ, જેથી તેઓને મેડિકલ સારવાર ઉપલબ્ધ કરાવી હતી જેથી તેમનો જીવ બચાવી શકાયો હતો.
નર્મદા જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકની સંયુક્ત અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા સ્વાગતમાં ઉપસ્થિત રહેલા ૦૮ જેટલા અરજદારોના પ્રશ્રનોને વાચા આપીને હકારાત્મક નિકાલ સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું.
વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પરિપૂર્ણ કરવા નાગરિકોએ બળતણ તરીકે અપનાવ્યો પ્રદૂષણમુક્ત ગોબર ગેસ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આ યોજના થકી ગ્રામીણ વિસ્તારના જૈવિક ઘન કચરાનો થયો અસરકારક નિકાલ અને સ્વચ્છતાને મળ્યું પ્રોત્સાહન.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વિના-મુલ્યે સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમ
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨૨ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.
નાઉરુ ગણરાજ્યના હાઈકમિશનર સુશ્રી મર્લીન ઈનેમવીન મોસેસની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત
ભૂમિ સંરક્ષણ અને જળ સંચયથી નાઉરુ સ્વાવલંબનની દિશામાં પ્રગતિ કરી શકશે : રાજ્યપાલશ્રીની શુભેચ્છાઓ
ગુજરાતમાં શેલ એનર્જી દ્વારા રિન્યુએબલ એનર્જી-ઇલેક્ટ્રિક વ્હીકલ રિચાર્જ સ્ટેશન અને LNG રિગેસિફિકેશન ટર્મિનલ નિર્માણ માટે રૂ. ૩૫૦૦ કરોડનું રોકાણ થશે
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો માટેના MoUની શ્રેણીમાં વધુ એક કદમ, અત્યાર સુધીમાં ત્રણ કડીમાં રૂ. ૩૮૭૪ કરોડના ૧૪ MoU સંપન્ન થયા.
ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા તથા તેના સંવર્ધન અને જતન માટે રાજ્ય સરકાર દ્વારા અનેક નવતર પહેલ
ગુજરાતી ભાષાના સમૃદ્ધ વારસાના જતન સાથે તેનો વ્યાપ વધારી ગુજરાતી ભાષાનું ગૌરવ વધારવા સૌ ગુજરાતીઓ સંકલ્પબધ્ધ બને, રાજ્યના આઠ મહાનગરો-શહેરોમાં તમામ સરકારી કાર્યાલયો, પરિસરો અને સાર્વજનિક સ્થળોએ માહિતી આપતા લખાણોમાં અંગ્રેજી/હિન્દી સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત.
પરિષદના ઉપાધ્યક્ષ પદે આદિજાતિ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર જ્યારે સહ ઉપાધ્યક્ષ પદે રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ રહેશે
આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની પુનઃરચના કરવામાં આવી છે. હોદ્દાનીરૂએ આ સલાહકાર પરિષદના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રહેશે જ્યારે ઉપાધ્યક્ષ તરીકે આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ સહ ઉપાધ્યક્ષમાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ રહેશે.
નર્મદાની ૧૮૧ નોન સ્ટોપ ‘ટીમ અભયમે’ વધુ એક પરિવારનું સુખદ મિલન કરાવ્યું
છેલ્લા આઠ વર્ષથી જિલ્લામાં અવિરત સેવા આપતી ટીમ અભયમ મહિલાઓને સલાહ, સુચન,માર્ગદર્શન, બચાવ સહિત કાઉન્સેલિંગ પુરૂં પાડી રહી છે.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વિના-મુલ્યે સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમનું આયોજન
મોટા પ્રમાણમાં લાભાર્થીઓનું વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનીગ ચેક-અપ કરવામાં આવ્યું હતું જે અન્વયે શંકાસ્પદ આવેલ બહેનોને મેમોગ્રાફી- સોનોગ્રાફી ચેક-અપ માટે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં બોલાવવામાં આવશે.
રાજપીપળામાં શીતળા માતાજી મંદિરે યોજાતા પરંપરાગત સાતમના મેળાને લઈને વાહન વ્યવહાર માટે રૂટ ડાયવર્ટ અંગેનું જાહેરનામું
મેળાના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે આ રસ્તા પરના વાહન વ્યવહારનો રૂટ ડાયવર્ટ અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી સી.એ.ગાંધી દ્વારા બહાર પાડી નીચે મુજબનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
નવાગામની મહિલાઓએ પાણી મુદ્દે અધિકારીઓને ઘેરી લીધા.ચોમાસે પાણી ની તંગી તંત્ર ની બેદરકારી
નયનરમ્ય સાપુતારાથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલા નવાગામના અનોખા ગામમાં કટોકટી સર્જાઈ છે. ચોમાસાની ઋતુમાં પાણીની તીવ્ર તંગીનો સામનો કરતા નવાગામની સ્થિતિસ્થાપક મહિલાઓએ મામલો પોતાના હાથમાં લીધો હતો.