ગુજરાત
3811 लेख
અન્નપૂર્ણા સહાય યોજના હેઠળ બાવન પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અનાજકીટનું વિતરણ
શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી અનાજકીટનું વિતરણ તા.૧૫/૧૧/૨૦૨૫ ને શનિવારના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સભાગૃહ ખાતે પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું.
ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
રાજ્ય સરકારના હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ અંતર્ગત એપ્રિલથી ઓક્ટોબર-૨૦૨૫ એટલે કે છેલ્લા ૦૭ મહિનામાં ગરવી ગુર્જરી એમ્પોરિયમ‌ ઉપરાંત રાજ્ય તથા રાજ્ય બહાર કુલ ૩૪ મેળા-પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ' અને 'ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025નો શુભારંભ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે “અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025” તથા “ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025”ભવ્ય શુભારંભ થયો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સ્વદેશી અપનાવવાના સપથ ગ્રહણ કર્યા હતા.
મેગા એગ્રીકલ્ચર ક્રેડિટ આઉટરીચ કેમ્પેઈનનું સફળતાપૂર્વક આયોજન સંપન્ન
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ખેડૂતોના સશક્તિકરણ અને કૃષિ વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આયોજિત "મેગા એગ્રીકલ્ચર ક્રેડિટ આઉટરીચ કેમ્પેઈન" આજે તારીખ 13 નવેમ્બર 2025ના રોજ દેસાઈ સંસ્કાર કેન્દ્ર, નડિયાદ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયું.
પીએમ મોદી ૧૫ નવેમ્બરે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે, ૨૦૨૭માં ટ્રાયલ શરૂ થશે
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. ગુજરાતના વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી પર પુલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.
દુકાનદારે ઉધાર પર સિગારેટ આપવાની ના પાડતા યુવકે તેને નિર્દયતાથી માર માર્યો
સુરતમાં, એક યુવકે ઉધાર પર સિગારેટ આપવાની ના પાડતા દુકાનદારને માર માર્યો. પોલીસે તેની ધરપકડ કરી અને તેને માફી માંગવા માટે પણ દબાણ કર્યું.
ગુજરાતના નવસારીમાં એન્કાઉન્ટર! પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી
ધરપકડ કરાયેલા ચારમાંથી બે રાજસ્થાનના વતની છે અને હવે બિલિમોરામાં રહે છે, જ્યારે બાકીના હરિયાણા અને મધ્યપ્રદેશના છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ હથિયારો વેચવા માટે મુંબઈ જઈ રહ્યા હતા.
ગુજરાતમાં ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓએ ખુલાસો કર્યો. જાણો શું કહ્યું
ગુજરાત ATS દ્વારા ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓની પૂછપરછમાં મહત્વપૂર્ણ ખુલાસાઓ થયા છે. ATSના DSP શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે આતંકવાદીઓનું નિશાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નું લખનૌ મુખ્યાલય હતું.
ગાંધીનગર-જયપુર સ્ટેશન પુનઃવિકાસ કામ માટે બ્લૉકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત
ઉત્તર પશ્ચિમ રેલવેના ગાંધીનગર-જયપુર સ્ટેશનના પુનઃવિકાસ અને મોટા પાયે અપગ્રેડેશન કામને ધ્યાનમાં રાખીને 9 નવેમ્બરથી 13 ડિસેમ્બર, 2025 સુધી 35 દિવસોનો બ્લૉક લેવામાં આવ્યો છે, જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
50,963 બૂથ લેવલ ઓફિસર્સ 5.08 કરોડ મતદારોના મેપિંગ માટે રાજ્યભરમાં કાર્યરત
મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની પ્રક્રિયા શરૂ થયાના ગણતરીના દિવસોમાં જ 2.17 કરોડથી વધુ નાગરિકોનું મેપિંગ, 3.90 કરોડ ફોર્મનું વિતરણ. મતદારોના મેપિંગમાં રાજ્યભરના BLOની પ્રશંસનીય કામગીરી.
ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાં જનજાતિય ગૌરવ વર્ષની ઉત્સાહભેર ઉજવણી
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે, જે અંતર્ગત તા. ૭ થી ૧૩ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન રાજ્યના ૧૪ આદિજાતિ વિસ્તારોમાં જનજાતિય ગૌરવ યાત્રા યોજાઈ રહી છે.
નવા ભુજ રેલ્વે સ્ટેશનનું અપગ્રેડેશન ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ વિભાગ પર અમૃત ભારત સ્ટેશન યોજના (ABSS) હેઠળ નવા ભુજ રેલ્વે સ્ટેશન પર અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટનો મંજૂર ખર્ચ આશરે ₹૨૦૦ કરોડ છે, જેમાંથી આશરે ૭૫% કામ પૂર્ણ થઈ ગયું છે.
મુખ્યમંત્રીએ જૂનાગઢથી સરદાર@૧૫૦ એકતા માર્ચ નો પ્રારંભ કરાવ્યો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જૂનાગઢથી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી રૂપે સરદાર@૧૫૦ એકતા માર્ચ નો પ્રારંભ કર્યો. ઐતિહાસિક જૂનાગઢ મુક્તિ દિવસ ના અવસરે રાષ્ટ્રીય એકતાનો સંદેશ.
SVIT ખાતે વંદે માતરમ @150 ની ઉજવણી
ભારતનું રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ વર્ષ ૧૮૭૫માં રચાયાનું ગૌરવપૂર્ણ ૧૫૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે.
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ, જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી
રાજ્ય સરકાર દ્વારા તા. ૭થી ૧૩ નવેમ્બર સુધી અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી કુલ ૧,૩૭૮ કિ.મી.ની ‘જનજાતિય ગૌરવ રથ યાત્રા’નું વિશેષ આયોજન.
કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ભાવનગરના શિહોર ખાતે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ બેઠક યોજી
કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ભાવનગર આવી પહોંચેલા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ શિહોર પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ કૃષિ મંત્રીશ્રીએ શિહોરના કાજાવદર ગામની મુલાકાત લઈને ખેડૂતો અને સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી.
રાજ્યમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયા હવે વધુ સરળ: ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા ઓનલાઇન ચુકવણીની સુવિધા શરૂ
હવે ગુગલ-પે, ફોન-પે, ભીમ-પે અને યોનો એપ્લિકેશન મારફત વાહન ચાલકો સીધે-સીધી દંડની રકમ ભરપાઇ કરી શકશે.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે એકતાનગર ઝગમગ બન્યું, પ્રવાસીઓમાં ઉત્સાહ
૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ઉજવાતી રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીને લઈ એકતાનગર તૈયાર છે. દેશભરના આમંત્રિતો, અધિકારીઓ, કર્મચારીઓ અને જનતાને સુવિધા મળી રહે તે માટે વિશાળ તાત્કાલિક વસવાટની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
ગુજરાતમાં અંગ્રેજી વિષયના પ્રથમ સિનિયર પ્રોફેસર તરીકે બઢતી મેળવતા ડૉ. દિલિપસિંહ પી. બારડનું ગરિમાપૂર્ણ સન્માન
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના અધ્યક્ષ પ્રોફેસર ડૉ. દિલિપસિંહ બારડનું ગુજરાત રાજ્યમાં અંગ્રેજી વિષયના સૌપ્રથમ સિનિયર પ્રોફેસર તરીકેની બઢતીના અનન્ય પ્રસંગે ગરિમાપૂર્ણ સન્માન કરવામાં આવ્યું.
GP-SMASH: સોશિયલ મીડિયા મારફતે રાજ્યના નાગરિકો સાથે કનેક્ટ થવા ગુજરાત પોલીસની પ્રસંશનીય પહેલ
રાજ્યના નાગરિકોની રજૂઆતનું X પ્લેટફોર્મ ઉપરથી ગણતરીના કલાકોમાં નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો દ્વારા રજૂ થતી ચિંતાઓ, ફરિયાદો અને સૂચનોને સંવેદના સાથે સાંભળી, ઝડપથી યોગ્ય અધિકારી સુધી પહોંચાડીને સમયસર તેનો ઉકેલ લાવવો આ પહેલનો મુખ્ય હેતુ.