ઇન્ડિયા
12082 लेख
સુરત: ધાર્મિક વિધિની આડમાં મહિલાનું શોષણ, બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ
સુરતમાં એક મહિલા સાથે દુષ્કર્મની ઘટના અંગે મહારાજ સહિત બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં આરોપ છે કે આરોપીએ ધાર્મિક વિધિની આડમાં મહિલાનું શોષણ કર્યું હતું.
રાજકોટમાં જૈન દેરાસરમાં છરી વડે હુમલાની ઘટનાથી ચકચાર
રાજકોટમાં જૈન દેરાસર પર છરી વડે હુમલાની ઘટનાથી ચકચાર વ્યાપી ગઈ છે. સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટના, અમિત સગપરિયા નામના એક યુવકને પ્રાર્થના કર્યા પછી પાઠ વાંચતી વખતે હુમલો કરવામાં આવ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
Madhya Pradesh : ઉજ્જૈનમાં શિપ્રા નદીમાં પાણીના સ્તરમાં વધારો થતાં મંદિરો જળમગ્ન
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં શિપ્રા નદીના કિનારે રામ ઘાટ પરના કેટલાય મંદિરો સતત વરસાદને કારણે પાણીના સ્તરમાં વધારો થવાને કારણે ડૂબી ગયા છે.
CBIએ ભૂતપૂર્વ આરજી કાર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ વિરુદ્ધ FIR નોંધી
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ કોલકત્તા હાઈકોર્ટના નિર્દેશને અનુસરીને RG કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદિપ ઘોષ વિરુદ્ધ FIR દાખલ કરી છે
BSFએ પશ્ચિમ બંગાળમાં 71 લાખ રૂપિયાનું સોનું જપ્ત કર્યું
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ પશ્ચિમ બંગાળમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર સોનાની દાણચોરીના પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો હતો.
આસામ પોલીસ, BSF બાંગ્લાદેશી નાગરિકોને સરહદ પર પકડીને સફળતાપૂર્વક પાછા મોકલ્યા
BSF અને આસામ પોલીસ વચ્ચે અસરકારક સહયોગ દ્વારા આ વ્યક્તિઓની સફળ દેશનિકાલ શક્ય બની હતી. અગાઉ, સોમવારે આસામ પોલીસે ત્રિપુરાથી વટાવી ગયેલા ત્રણ બાંગ્લાદેશી નાગરિકોની પણ ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેમને બાંગ્લાદેશ પરત મોકલી દીધા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિન-રહેણાંક બાંધકામોને નિયમિત કરવાની નવી નીતિ રજૂ કરી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોમાં 4.5 સુધીના ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (FSI) સાથે અનધિકૃત બિન-રહેણાંક બાંધકામોને નિયમિત કરવાની મંજૂરી આપતી નવી નીતિ રજૂ કરી છે.
PM મોદી આવતીકાલે જલગાંવ, મહારાષ્ટ્રની મુલાકાત લેશે
PM મોદી 25 ઓગસ્ટે જલગાંવ, મહારાષ્ટ્રની મુલાકાત લેશે, લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું નક્સલવાદને લઈને મોટું નિવેદન
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સરકાર માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરી દેશે. છત્તીસગઢમાં મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ અને છત્તીસગઢ અને પડોશી રાજ્યોના ટોચના અધિકારીઓ સાથે આંતર-રાજ્ય સંકલન બેઠકમાં બોલતા શાહે નકસલવાદની સમીક્ષા કરી હતી.
Jammu Kashmir : એક આતંકવાદી ઠાર, સોપોર ઓપરેશનમાં લડાયક સ્ટોર રીકવર કરવામાં આવ્યા
ભારતીય સેનાએ બારામુલ્લાના સોપોર વિસ્તારમાં એક ઓપરેશન દરમિયાન એક આતંકવાદીનો ખાત્મો અને લડાયક સ્ટોર્સની પુનઃપ્રાપ્તિની જાણ કરી હતી. "ઓપી વટારગામ" તરીકે ઓળખાયેલ ઓપરેશન ચાલુ છે.
નાંદોદના નીકોલી ગામની સીમમાં ફરતા દીપડા પૈકી એક દીપડો ગત રાત્રે ગામમાં આવી પડતાં લોકોમાં ભય
નિકોલી ગામની સીમમાં ગઈ રાત્રે એક કદાવર દિપડો ખેતર માર્ગે ગામમાં ઘુસતા ગ્રામજનો આ નજારો જોઈ ફફડી ઊઠયા હતા.
પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ જાતીય અત્યાચાર કેસમાં વિસ્તૃત ચાર્જશીટ દાખલ
કર્ણાટક પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ હાઈ-પ્રોફાઈલ જાતીય શોષણ અને બળાત્કારના કેસમાં ભૂતપૂર્વ JD(S) સાંસદ પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ 2,144 પાનાની વિસ્તૃત ચાર્જશીટ સબમિટ કરી છે.
ડેડીયાપાડા પોલીસે હરીપુરા ગામમાં જુગાર પર રેડ કરી 10 જુગારીઓને ઝડપી લીધા
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના હરીપુરા ગામમાં ચાલતા જુગાર પર પોલીસે છાપો મારી મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપી લીધા હતા.
જશોદામાની મૂર્તિ બનાવવાની પરંપરા જાળવતા વિરાણી મોટી પાટીદારના યુવાનો
જન્માષ્ટમી એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુનો આઠમો કૃષ્ણ તરીકેનો અવતાર જે આખાય ભારત સહિત વિશ્વના ખૂણે ખૂણે વસતા સનાતન સમાજના લોકો ભક્તિભાવ પૂર્વક આનંદ ઉલ્હાસ પૂર્વક ઉજવતા હોય છે.
નર્મદા ડેમમાં આજની પાણીની આવક 1.16 લાખ ક્યુસેક સામે 95.000 ક્યુસેક પાણી છોડાયું
ચોમાસા દરમિયાન ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમના ૦૯ દરવાજા ૦.૮૦ મીટર ખોલવામાં આવ્યા.
ચાણસ્મા પંથકમાં ગોગા બાપાના સ્થાનકે નાગપાંચમે લોકમેળા ભરાયા
ચાણસ્મા રબારી નેસડાના 1200 વર્ષ પ્રાચીન શેષનારાયણ મંદિરે લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો.
નાગવીરી ગામે ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ નૂતન મંદિરનો ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
નાનકડા નાગવીરી ગામે ચાલી રહેલા તા.૨૧ થી ૨૪ ઑગસ્ટ એમ ચાર દિવસીય ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ, ઉમિયા માતાજી, અંબા માતાજી તેમજ અન્ય દેવ દેવીઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિઘ કાર્યક્રમો યોજાયા હતા.
વરસાદી માહોલ જામ્યો,ત્રણ દિવસની રજાઓનાં પગલે ગિરિમથક સાપુતારા હાઉસફુલ...
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, ગલકુંડ, બોરખલ,આહવા,પિંપરી,વઘઇ,સાકરપાતળ,સુબિર, ચીંચલી, સિંગાણા સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં થોડાક સમય માટે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.
સાપુતારાથી મહારાષ્ટ્રનાં નાસિક ધોરીમાર્ગ સતત ચોથા દિવસે પણ ચક્કાજામ, વાહનચાલકોની હાલત કફોડીજનક....
મહારાષ્ટ્રનાં સુરગાણા તાલુકાનાં કોમ્યુનિષ્ટ પાર્ટીનાં પૂર્વ ધારાસભ્ય જે.પી.ગાવીતની આગેવાની હેઠળ છેલ્લા ચાર દિવસથી સાપુતારા નાસિક માર્ગ પર અનિશ્ચિત ચક્કાજામ તથા રસ્તા રોકો આંદોલન કરવામાં આવી રહ્યુ છે.જેની સીધી અસર ગુજરાતનાં વાહનચાલકો પર પડી રહી છે.
જાફરાબાદ નવા બ્રિજ ઉપર રોડ રસ્તા પર અડિંગો જમાવીને બેઠેલા પશુઓ યમદૂત સમાન
ધમધમતા ટ્રાફિકમાં અકસ્માતે નિર્દોષોનો ભોગ લેવાય તે પહેલાં રોડ રસ્તાઓ પરથી પશુઓને અન્ય ખસેડવાની માંગ ઉઠી.