ઇન્ડિયા
12253 लेख
સાંસ્કૃતિક સંગમ: સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નીલકંઠ ધામની મુલાકાતે જનજાતીય યુવાનોને કર્યા મંત્રમુગ્ધ
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે આયોજિત ૧૭માં જનજાતીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ હેઠળ ૨૫૦ યુવાનોએ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' અને પોઈચા સ્થિત 'નીલકંઠ ધામ'ની મુલાકાત લીધી હતી. આ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવાસ દ્વારા યુવાનોએ રાષ્ટ્રીય એકતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા નિહાળી ગર્વની લાગણી અનુભવી હતી. નીલકંઠ ધામ ખાતે સ્વામીજીએ યુવાનોને રાષ્ટ્ર સેવા અને શ્રેષ્ઠ નાગરિક બનવા પ્રેરણા આપી હતી. આ યાદગાર પ્રવાસ અંતરિયાળ વિસ્તારના યુવાનોમાં
પશ્ચિમ બંગાળમાં પરિવર્તન યાત્રા: શિવરાજ સિંહ ચૌહાણનો TMC પર આકરો પ્રહાર
પશ્ચિમ બંગાળમાં ભાજપની પરિવર્તન યાત્રાનો પ્રારંભ. શિવરાજ સિંહ ચૌહાણે TMCનો નવો અર્થ સમજાવી ભ્રષ્ટાચાર અને સુરક્ષા મુદ્દે મમતા સરકારને ઘેરી.
"DMKનું સત્તામાં પરત ફરવાનું સપનું એક દુઃસ્વપ્ન બની જશે": પીએમ મોદી
પીએમ મોદીએ તમિલનાડુ અને પુડુચેરીમાં ₹7,100 કરોડથી વધુના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરી આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે રણશિંગુ ફૂંક્યું છે. મદુરાઈમાં NDA રેલીને સંબોધતા પીએમએ DMK અને કોંગ્રેસ પર ભ્રષ્ટાચાર અને વંશવાદના આકરા પ્રહારો કર્યા, જેની સામે વિપક્ષોએ રાજ્યના વિકાસના આંકડાઓ સાથે વળતો પ્રહાર કર્યો છે.
ઉત્તરપૂર્વ સરહદી રેલ્વેની મોટી તૈયારી: 128 સ્પેશિયલ ટ્રીપ્સ સાથે હોળીની મુસાફરી બનશે આસાન
આગામી હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને ઉત્તરપૂર્વ સરહદી રેલ્વે (NFR) એ મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે વ્યાપક તૈયારીઓ કરી છે. તહેવાર દરમિયાન વધારાના ધસારાને પહોંચી વળવા માટે 14 જોડી હોળી સ્પેશિયલ ટ્રેનો દ્વારા કુલ 128 ટ્રીપ ચલાવવામાં આવશે. રેલ્વે સ્ટેશનો પર ભીડ નિયંત્રણ માટે CCTV સર્વેલન્સ, ડ્રોન મોનિટરિંગ અને વધારાના RPF જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
અધિક માહિતી નિયામક અરવિંદ પટેલની 34 વર્ષની શાનદાર સેવાનો અંત: ગાંધીનગરમાં યોજાયો વિદાય સમારંભ
ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલ 34 વર્ષની પ્રશંસનીય સેવા બાદ વય નિવૃત્ત થયા છે. ગાંધીનગર ખાતે સચિવ ડૉ. વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં અને માહિતી કમિશનર શ્રી કે.એલ. બચાણીની પ્રેરક ઉપસ્થિતિમાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો.
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની અમદાવાદ મુલાકાત: વટવા ટર્મિનલથી ટ્રેનોના સંચાલનમાં થશે ક્રાંતિ
કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં પ્રસ્તાવિત વટવા મેગા કોચિંગ ટર્મિનલ પરિયોજનાના સ્થળની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થવાથી અમદાવાદ મંડળની સંચાલન ક્ષમતામાં 3 ગણી વૃદ્ધિ થશે અને અમદાવાદ જંકશન પરનું દબાણ ઘટશે.
ગુજરાતમાં ફ્રી HPV રસીકરણનો પ્રારંભ: ગર્ભાશયના કેન્સર સામે દીકરીઓને મળશે સુરક્ષા કવચ
ગુજરાત સરકાર દ્વારા સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખના કેન્સર) સામે રક્ષણ આપવા માટે નિ:શુલ્ક HPV રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલથી આ રાજ્યવ્યાપી અભિયાનની શરૂઆત કરાવી.
EDએ UAEમાંથી ગેંગ ચલાવતા ગેંગસ્ટર ઇન્દ્રજીત યાદવની ₹90 કરોડની મિલકત જપ્ત કરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 26 ફેબ્રુઆરી 2026ના રોજ ગુરુગ્રામમાં ગેંગસ્ટર ઇન્દ્રજીત સિંહ યાદવ સામે મોટી કાર્યવાહી કરીને ₹90.04 કરોડની સ્થાવર મિલકત જપ્ત કરી છે. આમાં પ્લોટ, જમીન, રહેણાંક તેમજ વાણિજ્યિક મિલકતો સામેલ છે જે આરોપી અને તેમની પત્ની રીના કુમારીની માલિકીની છે. UAEમાં ફરાર આ ગેંગસ્ટર પર હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં 15થી વધુ FIR નોંધાયેલી છે.
અરવિંદ કેજરીવાલ-મનીષ સિસોદિયા કટ્ટર ઈમાનદાર સાબિત થયા: ઈસુદાન ગઢવી
અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા દારૂ કૌભાંડ કેસમાં નિર્દોષ સાબિત થયા. ઈસુદાન ગઢવીએ કહ્યું - કેજરીવાલ કટ્ટર ઈમાનદાર છે, ભાજપે ખોટા આરોપ લગાવી AAP તોડવાની કોશિશ કરી. ગુજરાતમાં ઉજવણી.
ગુજરાત બજેટ: મહિલા અને બાળ કલ્યાણ વિભાગ માટે ₹૭,૬૯૦ કરોડની ઐતિહાસિક જોગવાઈ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'સુપોષિત ભારત'ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે રૂ. ૭,૬૯૦ કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ૨,૦૦૦ નવી 'ચાઈલ્ડ ફ્રેન્ડલી' આંગણવાડીઓનું નિર્માણ થશે, જેમાં RO મશીન, LED ટીવી અને સ્માર્ટ સુવિધાઓ ઉપલબ્ધ હશે.
યાત્રાધામો બનશે ગ્રીન ઝોન, દ્વારકા-સોમનાથ માટે ₹100 કરોડની મોટી જાહેરાત
ગુજરાત સરકારે બજેટ 2026-27માં યાત્રાધામોને 'ગ્રીન અને વીજ સલામત ઝોન' બનાવવા ₹100 કરોડની જોગવાઈ કરી છે. દ્વારકા, સોમનાથ, અંબાજી અને પાલીતાણાને પ્રારંભિક તબક્કે અગ્રતા આપવામાં આવશે. યોજના હેઠળ સતત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો, વીજ સુરક્ષા વધારવા, રૂફટોપ સોલાર સિસ્ટમનો પ્રચાર અને કાર્બન ઉત્સર્જન ઘટાડો થશે.
એટ્રોસિટી કેસોમાં ઝડપી કાર્યવાહી! કલેક્ટર વાળાની સમીક્ષા બેઠકમાં મોટા નિર્ણયો
રાજપીપલામાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી આર.વી. વાળાની અધ્યક્ષતામાં ડિસેમ્બર 2025 અંતિત અનુસૂચિત જાતિ પેટા યોજના, એટ્રોસિટી એક્ટ અંતર્ગત જિલ્લા તકેદારી સમિતિ અને મેન્યુઅલ સ્કેવેન્જર એક્ટ-2013ની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ.
15 લાખ+ વિદ્યાર્થીઓ માટે મંત્રીનો સ્પેશિયલ મેસેજ: ઉચ્ચ શિખરો સર કરો, ભયને દૂર કરો
ગુજરાત બોર્ડ પરીક્ષા 2026નો આજથી ઉત્સાહભેર પ્રારંભ થયો છે. શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કર્યું – મોઢું મીઠું કરાવી, ગુલાબનું ફૂલ, પેન-રાઈટિંગ પેડ અર્પણ કરી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી.
બોર્ડ પરીક્ષા એ ઉત્સવ! રિવાબા જાડેજાની વિદ્યાર્થીઓને ખાસ મેસેજ
ગુજરાત બોર્ડ પરીક્ષા 2026ના પ્રથમ દિવસે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ કડી કેમ્પસની એમ.બી. પટેલ સ્કૂલમાં મુલાકાત લઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો. "પરીક્ષા એક ઉત્સવ છે, તેને આનંદભેર ઉજવો" એમ કહીને તેમણે ચિંતા મુક્ત થવા પ્રેરણા આપી. દરેક વિદ્યાર્થીને પુષ્પ, પેન, રાઈટિંગ પેડ અને સાકર ખવડાવી શુભેચ્છા પાઠવી.
ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
BKI મોડ્યુલના બે આતંકવાદીઓની ધરપકડ, જાલંધરમાં ટ્રાવેલ એજન્ટના ઘરે બે વાર ગોળીબાર કર્યો હતો
કાઉન્ટર ઇન્ટેલિજન્સ (CI) જલંધરે ખંડણી અને ગોળીબારના કેસમાં સંડોવાયેલા બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) મોડ્યુલના બે મુખ્ય સભ્યોની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી .32 બોરની પિસ્તોલ, એક મેગેઝિન અને આઠ જીવંત કારતૂસ જપ્ત કર્યા છે.
મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
NFRની મોટી ભેટ, આસામમાં 19 ટ્રેનોમાં વધારાના સ્ટોપેજ, મુસાફરોને મોટી રાહત
20થી 28 ફેબ્રુઆરી 2026 વચ્ચે શરૂ થયા વધારાના હોલ્ટ્સ – ગુવાહાટી-સિલચર, ગુવાહાટી-ડિબ્રુગઢ સહિત ઘણી ટ્રેનોમાં નવા સ્ટેશનો જેમ કે બારપથર, લંકા, હોજાઈ.
ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.
રેલ નેટવર્કમાં ક્રાંતિ, 3 મોટા પ્રોજેક્ટ્સને ₹9,072 કરોડ મંજૂરી, 5,407 ગામો કનેક્ટેડ
કેન્દ્ર સરકારે દેશના રેલ્વે માળખાને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભર્યું છે. મંત્રીમંડળે આશરે ₹9,072 કરોડના ત્રણ મુખ્ય રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સ 4 રાજ્યોના 8 જિલ્લાઓમાં કનેક્ટિવિટી અને વિકાસને વેગ આપશે તેવી અપેક્ષા છે.