ઉપલેટાના કોલકી રોડ પાસે આવેલ વેણુ સિંચાઇની 6 લાખ લીટર ની પાણી ભરેલ ટાંકી તંત્રની બેદરકારીને લઈ તૂટી પડવાનો બનાવ સામે આવ્યો છે. બપોરના સમયે પાણી થી ભરેલી ટાંકી તૂટી પડવાથી અચાનક પાણીનો મારો આવી પડતા સ્થાનિક લોકોમાં નાસભાગ થઈ હતી.
વેણુ સિંચાઇની આ પાણીની ટાંકી ઘણા સમયથી જર્જરિત હોય જેને લઈ સ્થાનિક લોકોએ પાણીની ટાંકી કોઈ જાનહાની ન થાય તેના પહેલા તોડી પાડવા નગરપાલિકા, મામલતદાર તેમજ જિલ્લા કલેકટરને લેખિતમાં અરજીઓ કરી હતી અને એકદમ તૂટી પડવાને આરે હોય જેને કારણે પાણી ન ભરવા પણ રજૂઆતો કરાઈ હતી.
પણ તંત્રની ઘોર બેદરકારીને કારણે એક પણ તંત્રના અધીકારીઓએ આ વિષય પર ધ્યાન ન આપતા છેલ્લે પાણી ભરેલી ટાંકી તૂટી પડવાની ઘટના સામે આવી હતી. જ્યારે આ ટાંકી તૂટી પડવાનો ધળાકા ભેર અવાજ આવતા સ્થાનિક લોકોમાં નાસભાસ થવા લાગી હતી જોકે કોઈ જાનહાની થવા પામી ન હોય સ્થાનિક લોકોમાં થોળી રાહત થવા પામી હતી પણ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કોઈ નિર્ભય તંત્રએ ધ્યાન ન દોરતા આ બનાવ બનવા પામ્યાંનો રોષ ભભૂકી રહ્યો હતો અને હજુ પણ એક એવીજ બીજી ટાંકી પણ નજીકમાં હોય જે પણ તૂટી પડવાની બીકે લોકો તેને પણ કોઈ વધુ જાનહાની ન થાય તેના પહેલા હટાવા તંત્રને રજુઆત કરી હતી.