(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ દ્વારા આવનારા ગણેશોત્સવ બાબતે જિલ્લાના તમામ પોલીસ મથકો પર ગણપતિના આયોજકો સાથે મિટિંગ નું આયોજન કરાઇ રહ્યું છે જેમાં જિલ્લાના વડા મથક રાજપીપળા પોલીસ સ્ટેશન માં આજરોજ નાયબ પોલીસ અધિક્ષક જી.એ.સરવૈયા અને ટાઉન પીઆઈ આર.જી.ચૌધરી નાઓની અધ્યક્ષતા માં આ મિટિંગ કરાઈ હતી.
રાજપીપળા પોલીસ સ્ટેશનમાં યોજાયેલી આ મિટિંગમાં નાયબ પોલીસ અધિક્ષક,રાજપીપળા પીઆઈ સહિત પોલીસ સ્ટાફ અને ગણેશ મંડળ નાં આયોજકોની બેઠક મળી જેમાં નાયબ પોલીસ અધિક્ષક એ ગણેશોત્સવ દરમિયાન કોઈ અણબનાવ નાં બને તે માટે દરેકે કાયદો અને વ્યવસ્થા જાળવવા શાંતિપૂર્વક રીતે ગણપતિ ઉત્સવ મનાવવા સૂચના આપી હતી.