દિપક રાવલ દાહોદ: લીમખેડા વિભાગ યુવક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર્ટસ કોલેજ લીમખેડા ખાતે કોલેજના એન. સી. સી., એન.એસ. એસ. ના વિદ્યાર્થીઓ દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ', 'મેરી મીટ્ટી મેરા દેશ' અને 'પંચ પ્રકલ્પ'અંતર્ગત રેન્જ ફોરેસ્ટ ઓફિસ લીમખેડાના સહયોગથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમના પ્રથમ ચરણમાં કોલેજના સભાખંડમાં કોલેજના એન.સી.સી.ના અગ્નિવીર તરીકે પસંદગી પામેલ 6(છ) કેડેટ્સને કોલેજ પરિવાર વતી સન્માનિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે કોલેજ સંચાલક મંડળના પ્રમુખશ્રી ધનાભાઈ ભરવાડ, મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ, રેન્જ ઓફિસર લીમખેડા શ્રીમતી સુરેખાબેન નીનામા, સભ્યશ્રી ડાહ્યાભાઈ ભરવાડ,ઇન્ચાર્જ પ્રિ. જેન્તીભાઈ પરમાર, કોલેજના અધ્યાપકશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો એ વૃક્ષોનું માનવ જીવનમાં મહત્વ તેનું જતન, વૃક્ષારોપણ વગેરે વિષય પર પ્રસંગોચિત વક્તવ્ય આપ્યા હતા. કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન કોલેજના એનએસએસ ના પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર કમલેશ અમીન દ્વારા કરવામાં આવ્યું હતું.