મુંબઈ: બીજેપી નેતા શાહનવાઝ હુસૈનને હાર્ટ એટેક આવ્યો, સાંજે 4.30 વાગ્યે મુંબઈના લીલાવતીમાં દાખલ કરવામાં આવ્યા. ડો.જલીલ પારકરની દેખરેખ હેઠળ એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે. તેમની એન્જિયોપ્લાસ્ટી ડો. જલીલ પારકરની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી અને તેઓ હાલ આઈસીયુમાં દાખલ છે.
મળતી માહિતી મુજબ શાહનવાઝની હાલત હવે સારી હોવાનું કહેવાય છે. મંગળવારે સાંજે 4.30 કલાકે તેમને લીલાવતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ECG ટેસ્ટ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.આપને જણાવી દઈએ કે આ પહેલા પણ ગત મહિને પણ તેમની તબિયત અચાનક બગડી હતી, ત્યારબાદ તેમને એઈમ્સ, નવી દિલ્હીમાં દાખલ કરવામાં આવ્યા હતા. એઈમ્સના ડૉક્ટરોએ પછી તેમને વાયરલ ન્યુમોનિયા હોવાનું નિદાન કર્યું અને સારવાર બાદ આરામ કરવાની સલાહ આપી.


