આંતર રાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસની ઉજવણી ના ભાગરૂપે જાફરાબાદના સરકેશ્વર ના સમુદ્ર બીચ ની સફાઈ કચરો એકત્રીત કરાયો નાગરિકો ને સ્વચ્છતા જાળવવા અને સહકાર આપવા અપીલ રમણીય બીચ સરકેશ્વર જોવા અને આનંદ માણવા લોકો આવતા હોય છે પરંતુ કેટલાક લોકો જ્યાં ત્યાં કચરો ફેંકી દેવામાં આવે છે જેના લીધે પ્રદુષણ ફેલાય છે જેથી પર્યાવરણના રક્ષણ સાથે દરિયાકાંઠાના વાતાવરણને સ્વચ્છ રાખવા માટે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સમુદ્રની સ્વચ્છતા લઈને લોકોમાં જાગૃતિ આવે તેવા ઉદેશ સાથે સફાઈ અભિયાન હાથ ધરવામા આવ્યું હતું.
દરિયામાં પ્લાસ્ટિક ફેંકવાના કારણે દરિયામાં જીવ સૃષ્ટિ ને નુકસાન થાય છે. લોકો સમુદ્રની સફાઈ માટે જાગૃતિ રાખશે તો પર્યાવરણ અને દરિયાકાંઠાને સ્વચ્છ રાખી શકીશું જાફરાબાદ તાલુકાના સરકેશ્વર મહાદેવ દરિયા કિનારે સમુદ્ર તટની આંતર રાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ ની ઉજવણીમાં કોસ્ટ ગાર્ડ તથા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી એચ. આર. સિંહ મુખ્ય ન્યાયાધીશ સિવિલ કોર્ટ રાજુલા જોડાયા હતા તથા સરકેશ્વર ગામના સ્થાનિકો અને મિડિયા, જાફરાબાદ મરીન પોલીસ તથા પીપાવાવ મરીન પોલીસ સાથે જોડાયેલા હતા.
આ તકે ઇન્ડિયન કોસ્ટગાર્ડ પીપાવાવ દ્વારા સાફ-સફાઈ કરવામાં આવી હતી મુખ્ય પીપાવાવ કોસ્ટગાર્ડ અધિકારીઓ ની સાથે નિશાળના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહીને બીચ ઉપરથી કર્મચારીઓ, પ્લાસ્ટિક ની બોટલો, પ્લાસ્ટિક ની ગ્લાસૂ અને નેટ સહિત ૧૫૦૦૦ કિલો કચરો એકત્રીત કરવામાં આવ્યો હતો અને નગરપાલિકા ને સોંપવામાં આવ્યો હતો નાગરિકો દ્વારા ફરવા આવે છે ત્યારે ખાણીપીણીનો કચરો નાખવામાં આવે છે તેને ધ્યાને લઇ ઇન્ડિયન કોસગાર્ડ અધિકારીઓ વિદ્યાર્થીઓ ફિશરીઝ અધિકારી અલ્ટ્રાટેક અધિકારી સાથે તમામ પદાધિકારીઓ સમુદ્ર તટની સફાઈ કરી કચરાનું નાશ કરવામાં આવ્યું હતું પ્રદુષણ ફેલાય છે.જેથી આંતર રાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ ની ઉજવણી ના ભાગરૂપે સરકેશ્વર બીચ નું સફાઈ કરવામાં આવ્યું હતું સાથે ગુજરાત કોસ્ટગાર્ડ દ્વારા દર વર્ષે સમુદ્રી તટની સફાઈ કરવામાં આવે છે.