મુખ્ય સામગ્રી પર જાઓ

નર્મદા જિલ્લાના સૈનિક પરિવારના સંતાનો સૈનિક કુમાર છાત્રાલય સુરત ખાતે પ્રવેશ મેળવી શકશે

નર્મદા જિલ્લામાં વસવાટ કરતા, શહિદ સૈનિકો, પૂર્વ સૈનિકો અને સ્વ.પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરતના સરથાણા ખાતે શૈક્ષણિક સંસ્થા ગૌરવ સેનાની ભવનમાં સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.

નર્મદા જિલ્લાના સૈનિક પરિવારના સંતાનો સૈનિક કુમાર છાત્રાલય સુરત ખાતે પ્રવેશ મેળવી શકશે

રાજપીપળા: નર્મદા જિલ્લામાં વસવાટ કરતા, શહિદ સૈનિકો, પૂર્વ સૈનિકો અને સ્વ.પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરતના સરથાણા ખાતે શૈક્ષણિક સંસ્થા ગૌરવ સેનાની ભવનમાં સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોસ્ટેલમાં ધો. ૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી કચેરીનો રૂબરૂ સંપર્ક કરીને નમૂના મુજબનું એડમિશન ફોર્મ મેળવીને જમા કરવાના રહેશે. વધુ વિગત માટે ૦૨૬૧-૨૯૧૩૮૨૦ અથવા ૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક કરવા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી સુરત તરફથી મળેલ અખબારી યાદીમાં જણાવાયું છે.

સંબંધિત સમાચાર