રાજપીપળા: નર્મદા જિલ્લામાં વસવાટ કરતા, શહિદ સૈનિકો, પૂર્વ સૈનિકો અને સ્વ.પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરતના સરથાણા ખાતે શૈક્ષણિક સંસ્થા ગૌરવ સેનાની ભવનમાં સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોસ્ટેલમાં ધો. ૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી કચેરીનો રૂબરૂ સંપર્ક કરીને નમૂના મુજબનું એડમિશન ફોર્મ મેળવીને જમા કરવાના રહેશે. વધુ વિગત માટે ૦૨૬૧-૨૯૧૩૮૨૦ અથવા ૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક કરવા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી સુરત તરફથી મળેલ અખબારી યાદીમાં જણાવાયું છે.