મુખ્ય સામગ્રી પર જાઓ

ગણપતિ બાપાની માટીની મૂર્તિ બનાવી પર્યાવરણ રક્ષણનો સંદેશ આપતા કારીગરો

વડોદરામાં સાત દિવસીય મેળામાં ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામીણ ટેકનોલોજી સંસ્થાનમાંથી તાલીમ પામેલા ૭૩ કારીગરો થયા સહભાગી.

ગણપતિ બાપાની માટીની મૂર્તિ બનાવી પર્યાવરણ રક્ષણનો સંદેશ આપતા કારીગરો

જનજનનું દુઃખ હરવા માટે આવી રહેલા ગણપતિ બાપાની મૂર્તિ પ્રકૃત્તિહિતેષી બને એ માટે રાજ્ય સરકારના માટીકામ કલાકારી અને ગ્રામીણ ટેકનોલોજી સંસ્થાન દ્વારા યોજાયેલા પ્રદર્શનમાં નાગરિકોના પ્રતિભાવથી તેમાં સહભાગી થયેલા ૭૩ જેટલા કારીગરોના ચહેરા ઉપર આનંદની લાગણી જોવા મળે છે.

આ મેળામાં ભાગ લઇ રહેલા ૩૦ વર્ષીય જાધવ અંજલિ દગડુને સાઉદી અરેબિયાના ઓમાનથી પહેલો આંતરરાષ્ટ્રીય ઓર્ડર મળવાથી તેના ચહેરા ઉપર અનેરી ખુશી જોવા મળે છે. દર વર્ષની જેમ તેણે લગભગ 300 ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી અને તેને વડોદરા, ભરૂચ, સુરત, ગાંધીનગર, આણંદમાં ગ્રાહકો સુધી પહોંચાડી છે. ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામીણ ટેકનોલોજી સંસ્થાનમાંથી તાલીમ લીધા પછી, તેણીએ ગણેશની મૂર્તિઓ બનાવવાનું શરૂ કર્યું અને સંસ્થા દ્વારા આયોજિત મેળાઓમાં તેનું વેચાણ કર્યું તો પોતાની કલાને પ્લેટફોર્મ મળવાની સાથે આર્થિક ફાયદો પણ થયો છે.

અંજલિ દગડુએ એમએસયુ બરોડામાંથી મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે અને તેનો ઉપયોગ તેના મૂર્તિ બનાવવાના વ્યવસાયમાં કરી રહી છે.  ૨૦૧૬થી શરૂ કરીને, તેણીએ પર્યાવરણહિતેષી ગણેશજીની મૂર્તિઓ બનાવી મેળામાં તેનું વેચાણ કરે છે.  અહીં તેમણે સારૂ માર્કેટ મળી રહે છે.

“મેં ૨૦૧૬ માં માટીની મૂર્તિ બનાવવાની એક મહિનાની તાલીમ લીધી અને તે જ વર્ષથી મૂર્તિઓ બનાવવાનું શરૂ કર્યું.  ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામીણ ટેક્નોલોજી સંસ્થાન તરફથી મળેલી તાલીમ મને માટીની મૂર્તિ બનાવવા માટે જરૂરી ઝીણી વિગતો વિશે કળા અને જ્ઞાન શીખવામાં મદદ કરી છે.  મફત સ્ટોલ અને પ્રચારમાં સરકાર તરફથી મળતો ટેકો મને એક પ્લેટફોર્મ પરથી મૂર્તિઓ વેચવામાં મદદ કરે છે.  હું દર વર્ષે સરેરાશ ૩૦૦ મૂર્તિઓ બનાવું છું અને આ વર્ષે પણ મેં લક્ષ્ય જાળવી રાખ્યું છે.  સરકાર કાચા માલમાં સબસિડી પણ આપે છે જે અમારા માટે આખું વર્ષ અમારું કામ ચાલુ રાખવાનું સરળ બનાવે છે. તેમ તેઓ કહે છે.

આવી જ વાત ૩૬ વર્ષીય ગૃહિણી પટેલ શ્વેતા સુરેશભાઈની છે ! તેઓ છેલ્લા ૧૨ વર્ષથી હસ્તકલાનો વ્યવસાય કરે છે.  ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામીણ ટેકનોલોજી સંસ્થાન તરફથી મળેલી તાલીમે તેણીને મૂર્તિઓ બનાવવામાં મદદ કરી જે તે અગાઉ ઓર્ડર પર મેળવતી હતી.  તે દર વર્ષે યુએસ અને લંડન જેવા દેશોમાં બલ્ક ઓર્ડર પહોંચાડે છે અને સ્થાનિક સ્તરે માટીની મૂર્તિઓનું વેચાણ પણ કરે છે.  માસ્ટર ટ્રેનિંગ પછી તે આ સ્કીમ હેઠળ આવનારા કલાકારોને ટ્રેનિંગ પણ આપે છે અને પોતાના પગ પર ઊભા રહેવામાં મદદ કરે છે.

બંને કલાકારો વડોદરાના સયાજીગંજ ખાતે પારસી અગિયારી મેદાનમાં આયોજિત પાંચ દિવસીય મેળામાં તેમના હાથથી બનાવેલી માટીની મૂર્તિઓ પ્રદર્શિત કરનાર ૭૩ કારીગરોના જૂથનો ભાગ છે.  તમામ કલાકારોએ ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામીણ ટેકનોલોજી સંસ્થા પાસેથી તાલીમ લીધી હતી અને તેમની સુંદર માટીના ગણેશ આર્ટવર્ક દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવની ઉજવણીને પ્રોત્સાહન આપે છે.

ગુજરાત સરકાર હેઠળની ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામીણ ટેકનોલોજી સંસ્થાન વડોદરા શહેર અને જિલ્લામાં માટીની મૂર્તિ બનાવનારાઓને સ્વતંત્ર બનવામાં મદદ કરી રહી છે.  ‘સ્વચ્છ દેશ, પ્રસન્ન ગણેશ’ ના સૂત્ર હેઠળ વિભાગ ૧૩ થી શરૂ થયેલા અને ૧૯ સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મેળા દ્વારા પર્યાવરણને અનુકૂળ ગણેશોત્સવની ઉજવણીનો સંદેશ ફેલાવી રહ્યું છે.  લગભગ ૭૦ ટકા કલાકારો સ્ત્રીઓ છે અને વિવિધ કદ અને થીમની લગભગ ૧૨૫૦૦ માટીની મૂર્તિઓ પ્રદર્શનમાં છે.  કલાકારોને તેમની આર્ટવર્ક પ્રદર્શિત કરવા માટે મફત સ્ટોલ મળે છે. સંસ્થા દ્વારા આ યોજના હેઠળ દરરોજ ૧૦૦૦ કલાકારોને ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામીણ ટેકનોલોજી સંસ્થાનના નિયામક, સચિવ અને અન્ય અધિકારીઓનું સતત માર્ગદર્શન મળે છે.

સંબંધિત સમાચાર