Dahra Global Case: કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભૂતપૂર્વ ભારતીય ખલાસીઓને ગુરુવારે (28 ડિસેમ્બર) મોટી રાહત મળી છે. ભારત સરકારની અપીલ પર તમામ આઠ લોકોની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી છે. વિદેશ મંત્રાલયે આ વિષે વાત કરતાં કહ્યું છે કે તેણે આ બાબતે કતાર કોર્ટનો સંપર્ક કર્યો છે. આ બાબતે સુનાવણી દરમિયાન કોર્ટે સજામાં ઘટાડો કર્યો હતો.
વિદેશ મંત્રાલયે કહ્યું, "વિગતવાર નિર્ણયની નકલની રાહ જોવાઈ રહી છે." અમારી કાનૂની ટીમ આગામી પગલાઓ અંગે આઠ ભારતીયોના પરિવારના સંપર્કમાં છે. સુનાવણી દરમિયાન રાજદૂતો અને અધિકારીઓ કોર્ટમાં હાજર હતા.
મંત્રાલયે વધુમાં કહ્યું કે અમે શરૂઆતથી જ આઠ લોકોના પરિવાર સાથે ઉભા છીએ. મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તેના વિશે વધુ બોલવું અમારા માટે યોગ્ય રહેશે નહીં. અમે કતાર પ્રશાસન સાથે આ મામલો સતત ઉઠાવતા આવ્યા છીએ અને કરતા રહીશું.


