હાસન: કર્ણાટકના હાસન જિલ્લામાં સ્થિત હસનામ્બા મંદિરમાં શુક્રવારે બપોરે 1:30 વાગ્યે અચાનક નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મંદિરની નજીક ઇલેક્ટ્રિક વાયર તૂટીને પડ્યો હતો. જેના કારણે કેટલાક લોકો ઘાયલ થયા હતા અને નાસભાગ મચી ગઈ હતી. જેમાં અનેક લોકો રસ્તા પર વિવિધ જગ્યાએ પડી ગયા હતા. આ ઘટનામાં અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ઘટના બાદ હસનના એસપી મોહમ્મદ સુજીતાએ જણાવ્યું હતું કે, બપોરે 1.30 વાગ્યે તૂટેલા વાયરને કારણે કેટલાક લોકોને આંચકો લાગ્યો હતો. તેના કારણે લોકો ડરી ગયા અને ભાગવા લાગ્યા. વિદ્યુત વિભાગના કર્મચારીઓ અહીં છે. તેઓ તેની તપાસ કરી રહ્યા છે. "ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક વધુ લોકોને પણ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ડૉક્ટરોએ કહ્યું છે કે તે બધા ખતરાની બહાર છે. દર્શન માટે ઓછો સમય ઉપલબ્ધ છે, જેના કારણે ભારે ભીડ છે."


