મુખ્ય સામગ્રી પર જાઓ

ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને AAP દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન

ગાંધીનગર: આગામી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સત્તાવાર રીતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ શુભારંભ પ્રસંગે પાર્ટીના શીર્ષ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને AAP દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન

અમદાવાદ / ગાંધીનગર / ગુજરાત | આમ આદમી પાર્ટીએ આજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ,  પ્રદેશ ઉપપ્રમુખ કૈલાશદાન ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવે અને પ્રદેશ સંગઠન મંત્રી તથા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરન બારોટ સહિત ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડી રહેલા ઉમેદવારો તથા સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા મનોજ સોરઠીયા સહિત તમામ આગેવાનોએ હવનમાં ભાગ લીધો હતો અને ગાંધીનગર શહેર સહિત ગુજરાત અને દેશની સમૃદ્ધિ, લોકોના સારા સ્વાસ્થ્ય, બાળકો માટે સારી શિક્ષણ વ્યવસ્થા સહિતના  જનકલ્યાણકારી મુદ્દાઓ પર પ્રાર્થના કરી હતી.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી ગાંધીનગર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન મનપા ચૂંટણી

સંબંધિત સમાચાર