ભારતીય ક્રિકેટ ટીમને તેના જ ઘરમાં હરાવવા લગભગ અશક્ય માનવામાં આવે છે. પરંતુ ઓસ્ટ્રેલિયાએ આ અશક્ય કામ કરી બતાવ્યું છે. ચેન્નાઈમાં રમાયેલી ત્રીજી અને છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાનો 21 રને વિજય થયો હતો. ટીમ ઈન્ડિયાને જીતવા માટે માત્ર 270 રનની જરૂર હતી પરંતુ તે આ હાંસલ કરી શકી નહીં. ભારતીય ટીમ 49.1 ઓવરમાં માત્ર 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે આ હારને કારણે ટીમ ઈન્ડિયા ન માત્ર સીરીઝ હારી ગઈ પરંતુ તેની સાથે તેના માથા પરથી તાજ પણ છીનવાઈ ગયો.
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાએ વનડે સીરીઝ પર કબજો જમાવતાની સાથે જ ટીમ ઈન્ડિયા નંબર 1 ટીમ નથી રહી. ભારતીય ક્રિકેટ ટીમ વનડે સીરીઝ દરમિયાન નંબર 1 ટીમ તરીકે મેદાનમાં ઉતરી હતી, પરંતુ સીરીઝ હારી જતા જ આ તાજ તેના માથા પરથી હટી ગયો છે.
જો ઓસ્ટ્રેલિયા આ સીરીઝ 2-1થી હારી ગયું હોત તો આ ટીમ ચોથા નંબરે સરકી ગઈ હોત. ન્યુઝીલેન્ડ બીજા સ્થાને પહોંચી ગયું હોત અને ઈંગ્લેન્ડની ટીમ ત્રીજા સ્થાને પહોંચી ગઈ હોત, પરંતુ ઓસ્ટ્રેલિયાએ ભારતને તેના જ ઘરે હરાવ્યું.
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયન ટીમે ભારતમાં રમાયેલી છેલ્લી 3 ODI શ્રેણીમાંથી 2 જીતી છે. વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયા 0-2થી પાછળ હતું પરંતુ તેમ છતાં તેણે સતત ત્રણ મેચ જીતીને શ્રેણી પર કબજો કર્યો હતો. આ વખતે પણ ઓસ્ટ્રેલિયા 0-1થી પાછળ હતું અને ફરી એકવાર તેણે વનડે શ્રેણી 2-1થી જીતી લીધી છે.


