ભારતના અનુભવી ક્રિકેટર મનોજ તિવારીએ અચાનક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મનોજ તિવારીએ કરિયરની શરૂઆતમાં બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું, પરંતુ તે ટીમ ઈન્ડિયામાં વધુ સમય ટકી શક્યો ન હતો. મનોજ તિવારી હાલમાં બંગાળની મમતા સરકારમાં રમતગમત મંત્રી છે. મનોજ તિવારીને છેલ્લા 8 વર્ષથી ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી નથી. આ ખેલાડી તેની ઝડપી બેટિંગ માટે જાણીતો છે, પરંતુ આ ખેલાડી તેની સારી રમત જાળવી શક્યો નથી.
છેલ્લી મેચ વર્ષ 2015માં રમાઈ હતી
મનોજ તિવારીએ ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ વર્ષ 2015માં રમી હતી. વર્ષ 2008માં મનોજ તિવારીએ ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ટીમ ઈન્ડિયા માટે 12 ODI અને 3 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. મનોજ તિવારીએ વનડેમાં 26.09ની એવરેજથી 287 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. ODI ફોર્મેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 104 હતો. T20 ઈન્ટરનેશનલની વાત કરીએ તો તેણે 15ની એવરેજથી 5 રન બનાવ્યા છે.
સારી રમત ચાલુ રાખી શક્યો નથી
ટીમ ઈન્ડિયા ઉપરાંત મનોજ તિવારી પણ આઈપીએલ રમી ચૂક્યો છે. IPLમાં તેના આંકડા ઘણા પ્રભાવશાળી છે. મનોજ તિવારી આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ અને કિંગ્સ ઈલેવન પંજાબ ટીમનો ભાગ રહી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 98 મેચમાં 28.72ની એવરેજથી 1,695 રન બનાવ્યા છે. તેના નામે 7 અડધી સદી પણ છે.


