(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાનાં તિલકવાડા તાલુકાના ભાદરવા ગામ નજીકથી એક સગીરાનું અપહરણ થયાની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે. જેમાં મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના એક ગામમાં રહેતા વાલીએ આપેલી ફરિયાદ મુજબ તેમની સગીર વયની દીકરીને રોહિતભાઇ કંચનભાઈ વસાવા રહે. વાસણ તા.તિલકવાડા જી.નર્મદા નામનો યુવાન વાલીપણા માંથી લલચાવી-ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી અપહરણ કરી લઇ જઇ જતા પોલીસે યુવાન વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં અનેકવાર સગીર બાળકીઓ પર દુષ્કર્મ,અપહરણનાં બનાવો બન્યા છે અને ઝેરી દવા પી આપઘાતની ઘટનાઓ પર જોવા મળી છે. જોકે નર્મદા પોલીસ આ મુદ્દે કાર્યક્રમો કરી લોકોમાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરે છે પરંતુ વાલીઓએ પણ આવી ગંભીર ઘટનાનાં બને તે માટે પોતાના સંતાનોને મોબાઇલ સહિત અમુક બાબતે ટકોર કરી પોતાના સંતાન પર કોઈ આફતનાં આવે તેની તકેદારી લેવી જરૂરી છે.