પ્રતિનિધિ દ્વારા:ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ મહોત્સવ ની ભવ્યતી ભવ્ય ઉજવણી કરવામાં આવી સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો વૈષ્ણવો ઉમટી પડ્યા હતા અને જય રણછોડ માખણ ચોર ના નારા ગુંજી ઉઠ્યા હતા આ મહોત્સવ પ્રસંગે ડાકોર જાણે ગોકુળ નગરીમાં ફેરવાઈ ગઈ હોય તેમ ઠેક ઠેકાણે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.
મંદિર પરિષર ને રોશની થી શણગારવામાં આવ્યું હતું ભગવાન રણછોડરાયજીની એક ઝાંખી માટે સવારથી જ વૈષ્ણવો નો ધસારો જોવા મળ્યો હતો અને રાત્રે 12:00 વાગે ભગવાનના જન્મ થતા જ જન્મ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આમ તો દર પૂનમ અને અગિયારસ પર અમદાવાદ સુરત વડોદરા થી ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે શ્રદ્ધાપૂર્વક ઠાકોરજીના દર્શન કરવા માટે આવે છે પરંતુ આજનો દિવસ ભક્તો માટે આનંદ અને ઉત્સાહનો દિવસ હતો એટલે સમગ્ર ડાકોરમાં જય રણછોડ માખણ ચોર નંદ કે ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નારા.. ગુંજી ઉઠ્યા હતા.