મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

RBIએ ₹2000ની ચલણી નોટને લઈને આપી મોટી માહિતી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 1 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે ચલણમાં રહેલી રૂ. 2,000ની 97.38 ટકા નોટો 19 મે, 2023 સુધીમાં બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે.

RBIએ ₹2000ની ચલણી નોટને લઈને આપી મોટી માહિતી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 1 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે ચલણમાં રહેલી રૂ. 2,000ની 97.38 ટકા નોટો 19 મે, 2023 સુધીમાં બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે.

ચલણમાં આવી બેંક નોટોનું કુલ મૂલ્ય 29 ડિસેમ્બર, 2023 ના રોજ કારોબારના અંતે ઘટીને રૂ. 9,330 કરોડ થયું હતું, જે 19 મે, 2023 ના રોજ કારોબારના અંતે રૂ. 3.56 લાખ કરોડ હતું.

સેન્ટ્રલ બેંકે તેની ક્લીન નોટ પોલિસી હેઠળ ચલણમાંથી ઉચ્ચ મૂલ્યની બેંક નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.

07 ઓક્ટોબર 2023 સુધી દેશની તમામ બેંક શાખાઓમાં રૂ. 2000ની બેંક નોટ જમા કરાવવા અને/અથવા બદલાવવાની સુવિધા ઉપલબ્ધ હતી. 19 મે, 2023 થી રિઝર્વ બેંકની 19 ઈસ્યુ ઓફિસમાં રૂ. 2000ની બેંક નોટો બદલવાની સુવિધા ઉપલબ્ધ છે.

આરબીઆઈએ એક રીલીઝમાં જણાવ્યું હતું કે 09 ઓક્ટોબર, 2023થી, આરબીઆઈ ઈશ્યુ પણ લોકો પાસેથી તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે 2000 રૂપિયાની બેંક નોટો સ્વીકારી રહી છે.

fashion

સંબંધિત સમાચાર

travel