Latest Government Decision on Savings Schemes Interest: સરકારે નવા વર્ષમાં નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ફેરફારની જાહેરાત કરી છે. સરકારની જાહેરાત અનુસાર, 3 વર્ષની બચત યોજના પર વ્યાજ દરમાં 0.1%નો વધારો કરવામાં આવ્યો છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજ દરમાં 0.2%નો વધારો કરવામાં આવ્યો છે. હવે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સુકન્યા સમૃદ્ધિ યોજના પર 8.2% વ્યાજ મળશે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારત અર્થતંત્રની દ્રષ્ટિએ શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. ગયા વર્ષના 5.7 ટકાના વિકાસ દરની સરખામણીએ આ વર્ષે અર્થતંત્રના 8 ક્ષેત્રોમાં 7.8 ટકાનો વૃદ્ધિદર નોંધાયો છે. જે ભારતનો વધતો આત્મવિશ્વાસ અને તેની અર્થવ્યવસ્થાના વિસ્તરણને દર્શાવે છે.


