ચંદીગઢ: હરિયાણાના સિનિયર IPS અધિકારી વાય. પૂરણ કુમારે ચંદીગઢમાં પોતાના ખાનગી નિવાસસ્થાને ગોળી મારીને આત્મહત્યા કરી છે. તેમના આત્યંતિક પગલાનું કારણ હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ મળી નથી. ચંદીગઢ પોલીસ અને હરિયાણાના અનેક પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
મૃતકની પત્ની IAS અધિકારી છે
મૃતક અધિકારી વાય. પૂરણ કુમારની પત્ની IAS અધિકારી છે. તેઓ 5 ઓક્ટોબરે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની અને અન્ય અધિકારીઓ સાથે જાપાન ગયા હતા. તેઓ કાલે સાંજે ભારત પરત ફરશે.


