દિલ્હી હાઈકોર્ટે બરતરફ ટ્રેની IAS ઓફિસર પૂજા ખેડકરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે પૂજા ખેડકર દ્વારા જે પ્રકારની છેતરપિંડી કરવામાં આવી છે તે માત્ર તે સંસ્થા સાથેની છેતરપિંડી નથી પરંતુ સમગ્ર સમાજ સાથે છેતરપિંડી છે, તેથી આ અરજીને ફગાવી દેવામાં આવે છે અને ખેડકરને આપવામાં આવેલ વચગાળાનું રક્ષણ રદ કરવામાં આવે છે.
પૂજાની સિવિલ સર્વિસ પરીક્ષામાં છેતરપિંડી કરવા અને OBC અને ડિસેબિલિટી ક્વોટાના લાભો મેળવવામાં છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. યુપીએસસીએ તેમની ઉમેદવારી રદ કરી હતી અને તેમની સામે એફઆઈઆર નોંધાવી હતી.


