પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ ના આણંદ-ગોધરા સેક્શનના ગોધરા-વાવડી ખુર્દ સ્ટેશનો વચ્ચે ડબલિંગના નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે લેવામાં આવેલા બ્લોકને કારણે મેમુ ટ્રેન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
1 ટ્રેન નંબર 09393 આણંદ - ગોધરા મેમુ ટ્રેન 26 ડિસેમ્બર 2024 થી 05 જાન્યુઆરી 2025 સુધી રદ રહેશે.
2 ટ્રેન નંબર 09396 ગોધરા - આણંદ મેમુ ટ્રેન 26 ડિસેમ્બર2024 થી 05જાન્યુઆરી 2025 સુધી રદ રહેશે.
પરિવર્તિત માર્ગ થી ચાલનારી ટ્રેન:
ટ્રેન નં. 19319 વેરાવળ - ઇન્દોર મહામના એક્સપ્રેસ 01 જાન્યુઆરી 2025 ના રોજ પરિવર્તિત માર્ગ વાયા ગેરતપુર-આણંદ-બાજવા-છાયાપુરી - ગોધરા- થઈને ચલાવવામાં આવશે.
રેલવે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે. . ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.