સિઓલ: દક્ષિણ કોરિયામાં શુષ્ક હવામાન અને ભારે પવન વચ્ચે જંગલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયાના અહેવાલ છે. સરકારી અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે આ ઘટનાઓમાં ઓછામાં ઓછા 19 લોકો ઘાયલ પણ થયા છે. મંગળવારે એન્ડોંગ અને અન્ય દક્ષિણ શહેરો અને નગરોના અધિકારીઓએ સ્થાનિક રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ જવાનો આદેશ આપ્યો. બીજી તરફ, સૂકા પવનને કારણે લાગેલી આગને કાબુમાં લેવા માટે અગ્નિશામકો સખત મહેનત કરી રહ્યા છે. આગ ઓલવવાનો પ્રયાસ કરતી વખતે એક હેલિકોપ્ટર પણ ક્રેશ થયું.
૪૩ હજાર એકરથી વધુ જમીન બળીને રાખ થઈ ગઈ
અહેવાલો અનુસાર, આગને કારણે 43,000 એકરથી વધુ જમીન બળીને રાખ થઈ ગઈ હતી અને 1,300 વર્ષ જૂના બૌદ્ધ મઠ સહિત સેંકડો બાંધકામો નાશ પામ્યા હતા. દક્ષિણ કોરિયાના ગૃહ અને સલામતી મંત્રાલયના જણાવ્યા અનુસાર, એન્ડોંગ, તેના પડોશી શહેરો ઉઇસોંગ અને સેનસેઓંગ અને ઉલ્સાન શહેરમાં 5,500 થી વધુ લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી હતી. આ એવા વિસ્તારો છે જે આગથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. કોરિયા હેરિટેજ સર્વિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉઇસોંગમાં લાગેલી આગને કારણે સાતમી સદીના ગોયુન્સા બૌદ્ધ મઠ રાખ થઈ ગયો હતો.


