મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

લાલુ યાદવ અને તેજસ્વીને સમન્સ, 3 અધિકારીઓ સામે પણ કેસ ચલાવવાની મંજૂરી

બિહારના પૂર્વ સીએમ લાલુ યાદવની સાથે રેલવેના પૂર્વ અધિકારીઓ અને અન્ય આરોપીઓને પણ સમન્સ મોકલવામાં આવ્યા છે.

લાલુ યાદવ અને તેજસ્વીને સમન્સ, 3 અધિકારીઓ સામે પણ કેસ ચલાવવાની મંજૂરી

રાઉઝ એવન્યુ કોર્ટે લેન્ડ ફોર જોબ કેસમાં સીબીઆઈની ચાર્જશીટની નોંધ લીધી છે. કોર્ટે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને તેમના પિતા અને પૂર્વ રેલ મંત્રી લાલુ યાદવને સમન્સ જારી કર્યા છે. મળતી માહિતી મુજબ, રાઉઝ એવન્યુ કોર્ટે તમામને 4 ઓક્ટોબરે આરોપી તરીકે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે લાલુ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદવ સહિત 17 આરોપીઓ સામે સમન્સ જારી કર્યા છે. તમામને 4 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. લાલુ યાદવ હાલ આ કેસમાં જામીન પર બહાર છે. કોર્ટે લેન્ડ ફોર જોબ્સ કેસમાં તેજસ્વી યાદવ સામેની ચાર્જશીટને પણ મંજૂરી આપી દીધી છે. સીબીઆઈએ પહેલીવાર બિહારના ડેપ્યુટી સીએમને આરોપી બનાવ્યા છે. હવે તેની સામે પણ કેસ દાખલ કરવામાં આવશે.

રેલવેના 3 અધિકારીઓ વિરુદ્ધ કેસ ચલાવવાની પણ મંજૂરી

કોર્ટના આદેશ બાદ તેજસ્વી યાદવે કહ્યું કે આ પહેલો અને છેલ્લો કેસ નથી. આ બધું ચાલુ રહેશે. અમને કોઈ વાંધો નથી. આ બધી બાબતોનો કોઈ અર્થ નથી. આ પહેલા 12 સપ્ટેમ્બરે ગૃહ મંત્રાલયે લાલુ પ્રસાદ યાદવ સામે કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. ગુરુવારે સીબીઆઈએ કોર્ટને કહ્યું હતું કે ગૃહ મંત્રાલય તરફથી ત્રણ રેલવે અધિકારીઓ સામે પણ કેસ ચલાવવાની મંજૂરી મળી ગઈ છે. રેલવે અધિકારીઓ મનદીપ કપૂર, મનોજ પાંડે, ડૉ. પી.એલ. બંકર સામે કેસ ચલાવવાની પરવાનગી મળી ગઈ છે.

બીજી ચાર્જશીટમાં તેજસ્વીનું નામ ઉમેરાયું

બિહારના ઉપમુખ્યમંત્રી અને લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવનું નામ કૌભાંડ કેસમાં તપાસ એજન્સી દ્વારા દાખલ કરવામાં આવેલી પ્રથમ ચાર્જશીટમાં નથી. સીબીઆઈએ બીજી ચાર્જશીટમાં તેજસ્વીનું નામ ઉમેર્યું હતું. આમ, એજન્સીએ ચાર્જશીટમાં લાલુ પરિવાર સહિત કુલ 14 લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે. તપાસ એજન્સી સીબીઆઈએ 18 મે, 2022 ના રોજ લાલુ પ્રસાદ અને તેમની પત્ની રાબડી દેવી, બે પુત્રીઓ અને અજાણ્યા સરકારી કર્મચારીઓ અને ખાનગી વ્યક્તિઓ સહિત 15 અન્ય લોકો સામે કેસ નોંધ્યો હતો.

આરોપ છે કે કેન્દ્રીય રેલ્વે મંત્રી તરીકે લાલુ પ્રસાદ યાદવે 2004 થી 2009 ની વચ્ચેના તેમના કાર્યકાળ દરમિયાન નિયમોમાં છૂટછાટ આપી અને તેના બદલામાં જમીન આપવામાં આવેલ લોકોને ડી ગ્રુપની નોકરીઓ આપી. જેમને નોકરી આપવામાં આવી, તેમણે પટના, મુંબઈ અને અન્ય શહેરોમાં લાલુ પરિવારના સભ્યોના નામે કિંમતી જમીન રજીસ્ટર્ડ કરાવી. CBI દ્વારા આ મામલે 18 મેના રોજ કેસ નોંધ્યો હતો.

fashion

સંબંધિત સમાચાર

travel