મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

Supreme Court Verdict : સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, શું તરત જ મળશે છૂટાછેડા ? જાણો આખો મામલો

સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતાં છૂટાછેડાને લઈને મોટી વાત કહી છે. જો લગ્નજીવનમાં સંબંધ સુધારવા માટે કોઈ અવકાશ બાકી ન હોય તો આવા કિસ્સામાં સુપ્રીમ કોર્ટ તાત્કાલિક છૂટાછેડા આપી શકે છે

Supreme Court Verdict : સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય,  શું તરત જ  મળશે છૂટાછેડા ?  જાણો આખો મામલો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતાં છૂટાછેડાને લઈને મોટી વાત કહી છે. જો લગ્નજીવનમાં સંબંધ સુધારવા માટે કોઈ અવકાશ બાકી ન હોય તો આવા કિસ્સામાં સુપ્રીમ કોર્ટ તાત્કાલિક છૂટાછેડા આપી શકે છે. સોમવારે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે સુનાવણી દરમિયાન આ વાત કહી. કોર્ટે કહ્યું કે કલમ 142 હેઠળ સુપ્રીમ કોર્ટને ન્યાય ખાતર બંને પક્ષોની સંમતિથી કોઈપણ આદેશ જારી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. કોર્ટના મતે, જો બંને પક્ષ છૂટાછેડા માટે સંમત થાય, તો આવી બાબતો માટે ફેમિલી કોર્ટમાં જવાની જરૂર રહેશે નહીં. અહીં છથી 18 મહિના સુધી રાહ જોવી પડે છે.

બંને પક્ષકારોને ન્યાય આપતો હુકમ જારી થઈ શકે છે

બેંચે કહ્યું કે કલમ 142 હેઠળ સુપ્રીમ કોર્ટને અધિકાર છે કે બંને પક્ષોને ન્યાય આપતો આદેશ જારી કરી શકાય. ખંડપીઠના કહેવા પ્રમાણે, જો લગ્નજીવનમાં સંબંધ સુધારવાનો કોઈ અવકાશ ન હોય તો સુપ્રીમ કોર્ટ પોતાની વિવેકબુદ્ધિના આધારે છૂટાછેડા આપી શકે છે. સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર, વ્યભિચાર, ધર્મ પરિવર્તન અને ક્રૂરતા જેવા મુદ્દાઓને છૂટાછેડા માટે આધાર ગણવામાં આવશે. જૂન 2016ના કેસ હેઠળ આ નિર્ણય સંભળાવ્યો હતો.

કોર્ટે સપ્ટેમ્બરમાં સુનાવણી કરી હતી

ખંડપીઠે કહ્યું કે બંધારણીય બેંચે વિચારવું જોઈએ કે શું મામલાને ફેમિલી કોર્ટમાં મોકલ્યા વિના છૂટાછેડાને મંજૂરી આપી શકાય. પાંચ સભ્યોની બંધારણીય બેંચ આ મામલે સુનાવણી કરી રહી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સુનાવણી દરમિયાન ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે. તેનાથી લોકોને મોટા પાયે રાહત મળશે. આ દરમિયાન લોકો લાંબી પ્રતીક્ષા ટાળી શકશે.

6 મહિનાની કાનૂની જવાબદારી જરૂરી નથી

જસ્ટિસ સંજીવ ખન્નાએ ખંડપીઠનો ચુકાદો વાંચતા કહ્યું કે જ્યારે લગ્ન ચાલુ રાખવું અશક્ય છે તો સુપ્રીમ કોર્ટ પણ સીધા છૂટાછેડાનો આદેશ આપી શકે છે. પરસ્પર સંમતિથી છૂટાછેડાના કિસ્સામાં 6 મહિનાની રાહ જોવાની કાયદાકીય જોગવાઈ પણ આવા કિસ્સાઓમાં લાગુ થશે નહીં. સુપ્રીમ કોર્ટે તેના વિગતવાર નિર્ણયમાં તે પરિસ્થિતિઓનો પણ ઉલ્લેખ કર્યો છે જ્યારે તે છૂટાછેડાના કેસમાં દખલ કરી શકે છે. આ સાથે જ ભરણપોષણ અને બાળકોના ઉછેર અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.

fashion

સંબંધિત સમાચાર

travel