પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 38 લોકોના મોત થયા છે. આ હુમલો ખૈબર પખ્તુનખ્વાના ડાઉન કુર્રમ વિસ્તારમાં પેસેન્જર વાન પર થયો હતો. હુમલામાં એક પોલીસ અધિકારી અને મહિલાઓ સહિત ડઝનેક લોકો ઘાયલ પણ થયા હતા. મળતી માહિતી મુજબ, ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના અશાંત પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ શિયા મુસ્લિમ નાગરિકોને લઈ જતા મુસાફરોના વાહનો પર ગોળીબાર કર્યો છે. તાજેતરના વર્ષોમાં આ વિસ્તારમાં આ પ્રકારનો સૌથી ઘાતક હુમલો છે. મૃત્યુઆંક વધી શકે છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓનો હુમલો, 38 માર્યા ગયા; ઘણા ઘાયલ
આતંકવાદીઓએ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં મુસાફરોના વાહનોને નિશાન બનાવ્યા છે. આ આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે.
સંબંધિત સમાચાર
ટૉરન્ટો ડાઉનટાઉન બિલ્ડિંગમાં પ્રચંડ વિસ્ફોટ બાદ લાગેલી આગ પર કાબૂ મેળવાયો
ઝેલેન્સ્કીએ સાઉદી અરેબિયામાં યુક્રેનિયન નિષ્ણાતોના એર ડિફેન્સ કાર્યની સમીક્ષા કરી
યુદ્ધજહાજ USS અબ્રાહમ લિંકન ઈરાનની મિસાઈલ રેન્જમાં પ્રવેશશે, તો તેને નિશાન બનાવાશે: નૌસેના


