મુખ્ય સામગ્રી પર જાઓ

સરકારે પુરવઠા સંચાલકોના ફિંગરનો નિયમ ફરજિયાત તો કર્યો પરંતુ ઉંમરલાયક સંચાલકો મુશ્કેલીમાં મુકાયા

તા. ૨૧ સમગ્ર ગુજરાત માં સરકારે પુરવઠા દુકાનદારો માટે નવા નિયમ લાગુ કર્યા એ સારી બાબત છે પરંતુ નર્મદા જિલ્લામાં આ નિયમમાં કેટલીક મુશ્કેલીઓ આવી અને એ માટે છેક ગાંધીનગર સુધી ફરિયાદ બાદ પણ કોઈજ ઉકેલ નહીં આવતા કેટલાક પુરવઠા સંચાલકો દુકાન માં અનાજ હોવા છતાં ગ્રાહકોને આપી શક્યા નથી 

સરકારે પુરવઠા સંચાલકોના ફિંગરનો નિયમ ફરજિયાત તો કર્યો પરંતુ ઉંમરલાયક સંચાલકો મુશ્કેલીમાં મુકાયા

ભરત શાહ, નર્મદા : તા. ૨૧ સમગ્ર ગુજરાતમાં સરકારે પુરવઠા દુકાનદારો માટે નવા નિયમ લાગુ કર્યા એ સારી બાબત છે પરંતુ નર્મદા જિલ્લામાં આ નિયમમાં કેટલીક મુશ્કેલીઓ આવી અને એ માટે છેક ગાંધીનગર સુધી ફરિયાદ બાદ પણ કોઈજ ઉકેલ નહીં આવતા કેટલાક પુરવઠા સંચાલકો દુકાન માં અનાજ હોવા છતાં ગ્રાહકો ને આપી શક્યા નથી 

સરકારે પુરવઠા સંચાલકો માટે નિયમ લાગુ કર્યો જેના જે વ્યક્તિના નામનું લાઇસન્સ હોય એ વ્યક્તિનો જ ફિંગર આપે તો ગ્રાહકોને આપવામાં આવતા અનાજની કુપન નીકળે અને ત્યારબાદ જ ગ્રાહકને અનાજ મળે પરંતુ નર્મદા જિલ્લામાં પુરવઠાની કેટલીક દુકાનોમાં જેના નામના લાઇસન્સ છે તેવા દુકાનદાર અને ખુદ સંચાલકો પૈકી કેટલાકના ફિંગર ઉંમરના લીધે મેચ નહી થતા હોવાથી આ સંચાલક ગ્રાહકોને અનાજ આપી નહી શકતા ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે માથાકૂટ બાદ આવા દુકાનદારોએ જિલ્લા પુરવઠા વિભાગમાં જાણ કર્યા બાદ ત્યાંના અધિકારીએ આ મામલે ગાંધીનગર જાણ કરી પરંતુ આ વાતને પણ પાંચેક દિવસ વીતી જવા છતાં ગાંધીનગરથી કોઈજ ઉકેલ નહી આવતા માલ ભરાવીને બેઠેલા દુકાનદારો માલ હોવા છતાં ગ્રાહકોને વેચાણ કરી શકતા નથી અને હાલ મહિનાનું છેલ્લું અઠવાડિયું બાકી છે છતાં ચાલુ ડિસેમ્બર મહિનાનો જથ્થો કાર્ડ ધારકોને નહી મળતા મધ્યમ, ગરીબ વર્ગના લોકો તકલીફમાં આવી પડ્યા છે. તો શું નવા નિયમ લાગુ કર્યા બાદ ગાંધીનગર પુરવઠા વિભાગ આવી તકલીફમાં તાત્કાલિક કોઈ ઉકેલ લાવી ફિંગર બાબતે અટવાયેલા દુકાનદારોને મુશ્કેલીમાંથી બહાર કાઢવા કોઈજ ઉકેલ લાવી શકતા નથી..? આખો મહિનો પૂરો થયા બાદ આવી દુકાનના ગ્રાહકો અનાજ નહિં મળે તો શું કરશે..?

સંબંધિત સમાચાર