(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : તાજેતરમાં સ્થાનિક વર્તમાનપત્રોમાં પોઈચાથી રાજપીપલા તરફ આવતી એસ.ટી. બસોને રોકી આંદોલન કરવા તથા નિયમિત એસટી બસની સુવિધા વિષે પ્રસિધ્ધ થયેલા અખબારી અહેવાલ અંગે ભરૂચ એસ.ટી. વિભાગીય નિયામક તરફથી સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે, સવારે ૦૯:૧૫ થી ૦૯:૪૦ તથા સાંજે ૧૭:૧૫ થી ૧૭:૪૦ ની રાજપીપલા-પોઈચાની વધારાની ટ્રીપો શરૂ કરેલ છે તેમજ ડેપો મેનેજર રાજપીપલા ધ્વારા વડોદરા-કીર્તિ તરફ સંચાલિત થતી તમામ ટ્રીપોના ડ્રાયવર/કંડકટરોને તમામ સ્ટેન્ડ પરથી વિદ્યાર્થીઓ લેવા તેમજ ઉતારવા સખ્ત સુચનાઓ આપેલ છે.
સ્પષ્ટતામાં વધુમાં જણાવાયું છે કે,હાલમાં ચોમાસાની સીઝન ચાલતી હોવાથી રોડ રસ્તાની પરિસ્થિતિના અભાવે વાહનો ગંતવ્ય સ્થળે પહોચતા લેટ પડે છે. તેમ ભરૂચ એસ.ટી. વિભાગીય નિયામક એ જણાવ્યું છે.