કાઠમંડુઃ નેપાળમાં સતત મુશળધાર વરસાદને કારણે આવેલા પૂરે તબાહી મચાવી છે. આના કારણે ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા છે. શનિવારે મીડિયા રિપોર્ટ્સમાં આ માહિતી આપવામાં આવી હતી. નેપાળના ઘણા ભાગો શુક્રવારથી વરસાદથી ડૂબી ગયા છે, જેના કારણે ડિઝાસ્ટર અધિકારીઓએ અચાનક પૂરની ચેતવણી જારી કરી છે. આ દરમિયાન હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે 'MyRepublica.com'ના સમાચાર મુજબ કાઠમંડુમાં 9, લલિતપુરમાં 16, ભક્તપુરમાં પાંચ, કાવરેપાલચોકમાં ત્રણ, પંચથર અને ધનકુટામાં બે-બે અને ઝાપા અને ધાદિંગમાં એક-એક લોકોના મોત થયા છે. સમાચાર મુજબ પૂરમાં કુલ 11 લોકો લાપતા છે. પોલીસે જણાવ્યું કે કાઠમંડુમાં 226 ઘરો ડૂબી ગયા છે અને નેપાળ પોલીસ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં લગભગ ત્રણ હજાર સુરક્ષા કર્મચારીઓની બચાવ ટીમ તૈનાત કરવામાં આવી છે.
ઘણા લોકો વિસ્થાપિત
નેપાળમાં હજારો લોકો સુરક્ષિત સ્થળોએ વિસ્થાપિત થયા છે. રસ્તાઓ, વિસ્તારો, દુકાનો અને સંસ્થાઓમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પાણીમાં ડૂબી જવાના કારણે વાહનવ્યવહાર પણ બંધ થઈ ગયો છે. સેંકડો મકાનોને નુકસાન થયું છે. કાર અને મકાનો પાણીમાં ડૂબી ગયા છે.


