અમદાવાદ : સંત નિરંકારી મિશન દ્વારા દર વર્ષે સ્વચ્છતા અને વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવે છે જેના દ્વારા માનવ કલ્યાણનો બાબા હરદેવ સિંહ જીનો ‘પ્રદુક્ષણ અંદર હોય કે બહાર, બંને હાનીકારક છે’ દ્રષ્ટિ કોણ/ હેતુ હોય છે.
આ વર્ષે Ahmedabad Municipal Corporation (AMC) ના સહયોગથી ‘Mission Million Trees’ પ્રોજેક્ટ અંતર્ગત સંત નિરંકારી મંડળ, અમદાવાદ દ્વારા હાથીજન, SP રીંગ રોડ પર સતગુરુ કૃષ્ણા બંગ્લોઝ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મંડળના ૧૫૦ જેટલા સ્વયં સેવકો અને સંત નિરંકારી સેવા દલ (SNSD) ના સદસ્યો દ્વારા ૧૦૦૦ જેટલા છોડ લગાડવામાં આવ્યા હતા.
નિરંકારી બાબા હરદેવ સિંહજી મહારાજના સનીન્ધ્યમાં નિરંકારી મિશન અધ્યાત્મિકતા દ્વારા વિશ્વને પ્રેમ, દયા, કરુણા એકત્વ જેવા ભાવથી જોડી દીવાલ રહિત સંસારની પરિકલ્પનાને સાકાર કરી હતી. વર્તમાનમાં સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજ તેમના ભક્તોને અધ્યાત્મિકતાની સાથે સાથે માનવતા અને પ્રકૃતિની પણ સેવા કરવાની પ્રેરણા આપી અને આ શ્રુંખલાને નિરંતર વધારી રહ્યા છે.


