મુખ્ય સામગ્રી પર જાઓ

અમદાવાદ મંડળ પર મહાપરિનિર્વાણ દિવસના અવસરે ભારત રત્ન ડૉ. બાબાસાહેબ અમ્બેડકરને શ્રદ્ધાંજલી અર્પિત કરવામાં આવી

ભારત રત્ન ડૉ. બાબસાહેબ અમ્બેડરના મહાપરિનિર્વાણ દિવસ 06 ડિસેમ્બર 2023 ના રોજ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર ગરિમાપૂર્ણ રીતે મનાવવામાં આવ્યો. ભારતીય બંધારણના નિર્માતા ભારત રત્ન ડૉ. બાબસાહેબ અમ્બેડરને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી અર્પિત કરવામાં આવી.

અમદાવાદ મંડળ પર મહાપરિનિર્વાણ દિવસના અવસરે ભારત રત્ન ડૉ. બાબાસાહેબ અમ્બેડકરને શ્રદ્ધાંજલી અર્પિત કરવામાં આવી

ભારત રત્ન ડૉ. બાબસાહેબ અમ્બેડરના મહાપરિનિર્વાણ દિવસ 06 ડિસેમ્બર 2023 ના રોજ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર ગરિમાપૂર્ણ રીતે મનાવવામાં આવ્યો. ભારતીય બંધારણના નિર્માતા ભારત રત્ન ડૉ. બાબસાહેબ અમ્બેડરને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી અર્પિત કરવામાં આવી.

 માનનીયા ઉપાધ્યક્ષા રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ, સામાજીક ન્યાય અને અધિકરિતા મંત્રાલય, ભારત સરકાર શ્રીમતી અંજના પંવાર અને મંડળ રેલવે મેનેજર અમદાવાદ, શ્રી સુધીર કુમાર શર્મા એ મંડળ કચેરી સભાગૃહમાં ભારત રત્ન ડૉ. બાબસાહેબ અમ્બેડર ના ચિત્ર પર માળા અર્પણ કરીને તથા દિપ પ્રગટાવીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા.

આ અવસર પર મંડળના રેલવે અધિકારીઓ, ટ્રેડ યુનિયનો, ઓબીસી એસોસિએશન અને એસસી/એસટી એસોસિએશનના પ્રતિનિધિઓ એ અને રેલવે કર્મચારીઓ એ આ કાર્યક્રમમાં સામેલ થઈને ભારત રત્ન ડૉ. બાબસાહેબ અમ્બેડર ને શ્રદ્ધાંજલી અર્પિત કરી. તથા રેલવે કર્મચારીઓ દ્વારા શેરી નાટકના માધ્યમથી જાતિ, ધર્મ, લિંગ વગેરે ભેદભાવ દૂર કરવામાં બાબા સાહેબના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો.

સંબંધિત સમાચાર