નવી દિલ્હી: ચા કંપની વાઘ બકરીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું રવિવારે 49 વર્ષની વયે અવસાન થયું. કંપનીએ સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી છે. પડી જવાથી માથામાં ઈજા થતાં તેમને બ્રેઈન હેમરેજ થયું હતું.
કંપનીએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, "અત્યંત દુઃખ સાથે અમે અમારા પ્રિય પરાગ દેસાઈના દુઃખદ અવસાનની જાહેરાત કરીએ છીએ..."
પરાગ દેસાઈને ગયા અઠવાડિયે તેમના ઘર નજીક પડી જતાં માથામાં ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, પરાગ દેસાઈ સાથે આ અકસ્માત ત્યારે થયો જ્યારે તેમના પર રખડતા કૂતરાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો.
વાઘ બકરી ટી ગ્રૂપના બોર્ડમાં બે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ પૈકીના એક પરાગ દેસાઈના નેતૃત્વ હેઠળ કંપનીએ ટી લાઉન્જ અને ઈ-કોમર્સ ક્ષેત્રે સફળતાપૂર્વક પ્રવેશ કરવા બદલાવ કર્યા હતા. પરાગ દેસાઈ જૂથના વેચાણ, માર્કેટિંગ અને નિકાસ વિભાગના વડા પણ હતા.


