બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગઈકાલે વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર પ્રણય વર્માએ ઢાકા યુનિવર્સિટીમાં આયોજિત વિશ્વ હિન્દી દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી.
આ પ્રસંગે શ્રી વર્માએ જણાવ્યું હતું કે ભાષા લોકો સુધી પહોંચવાના માર્ગો શોધે છે જેના દ્વારા એકબીજાની સંસ્કૃતિની પ્રશંસા થાય છે અને આ જ ભાષાનો સાર છે. તેમણે એમ પણ કહ્યું કે હિન્દી ભાષા એક માધ્યમ છે પરંતુ આ કાર્યમાં અમે બે સમાજો વચ્ચે ભાષાને જોડવાના મહત્વ પર ભાર આપી રહ્યા છીએ.
ભારતીય હાઈ કમિશનરે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ સંદેશ વાંચી સંભળાવ્યો હતો. તેમણે કહ્યું કે વડાપ્રધાનના સંદેશમાં કહેવામાં આવ્યું છે કે હિન્દી ભાષાના મૂળ સાર અને સરળતાને કારણે ઘણા દેશોમાં હિન્દી ભાષાનો ઉપયોગ વધી રહ્યો છે.
ઢાકા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. મકસૂદ કમલે પણ સમારોહમાં ભાગ લીધો હતો.


